ભરૂચ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજય સંકલ્પ પથ સંચલન યોજાયું, મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા

ધ્વજ, બેન્ડ અને દંડ સાથે હજારો શિસ્ત બધ્ધ સ્વયંસેવકોનું ઠેર ઠેર વિવિધ પથ ઉપર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજય સંકલ્પ પથ સંચલન યોજાયું, મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા

ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા છત્રપતિ શિવાજી જ્યંતીએ શહેરમાં વિજય સંકલ્પ પથ સંચલન યોજાયું હતું. ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા છત્રપતિ શિવાજી જ્યંતીએ શહેરમાં વિજય સંકલ્પ પથ સંચલન યોજાયું હતું.ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતેથી આર.એસ.એસ.ભરુચ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને હિન્દુ સમાજના સંગઠનનું કાર્ય પ્રત્યેક વસ્તી સુધી પોહચે તેવા શુભ અને વિજય સંકલ્પ સાથે ભરૂચ જિલ્લા વિજય સંકલ્પ પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ધ્વજ, બેન્ડ અને દંડ સાથે હજારો શિસ્ત બધ્ધ સ્વયંસેવકોનું ઠેર ઠેર વિવિધ પથ ઉપર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.પથ સંચલન બાદ દુધધારા ડેરી ગ્રાઉન્ડ પર સમારોહનું આયોજન કરાયું હતું જેમાં કલરવ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ નીલાબેન મોદી,તેમજ અખિલ ભારતીય સહ બૌધિક પ્રમુખ આર.એસ.એસ.ના સુનીલ મહેતાએ સ્વયંસેવકોને માર્ગદર્શન આપ્યું હતું

Read the Next Article

ભરૂચ: ઝઘડિયા GIDCની કોહલર ઇન્ડિયા કંપની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, તલોદરા ગામની જમીન પચાવી પાડી હોવાનો આરોપ

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચના ઝઘડિયામાં આવેલી છે કંપની

  • કોહલર ઇન્ડિયા કંપની સામે ફરિયાદ

  • તલોદરા ગ્રામપંચાયતની જમીનનો મામલો

  • જમીન પચાવી પાડી હોવાનો આરોપ

  • કોર્ટમાં દાવો દાખલ કરાયો

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલ તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન પર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ બિનઅધિકૃત કબજો કર્યો હોવાનું સામે આવતાં કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. સાથે જ ઝઘડિયા કોર્ટમાં ગેરકાયદેસર કબજો પરત મેળવવા માટે ન્યાયિક દાવો પણ દાખલ કરાયો છે. આ અંગે એડવોકેટ રાકેશ પરમારે જણાવ્યું હતું કે ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડે તલોદરા ગ્રામ પંચાયતની એવી જમીન પર કબજો કર્યો હતો જેનો સંપાદન પ્રક્રિયાથી કાયદેસર હસ્તાંતર થયો નથી. છતાં કંપનીએ મનસ્વી રીતે જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવતાં, પંચાયત દ્વારા વારંવાર કંપની તથા રેવન્યૂ અધિકારીઓને જમીન મુક્ત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ પરિણામ ન મળતાં તલોદરા ગ્રામ પંચાયતે કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કલેક્ટર સમક્ષ દાખલ કરાઈ છે તેમજ કોર્ટમાં કબજો પરત લેવા માટે ન્યાયિક કાર્યવાહી શરૂ કરાઈ છે.