Connect Gujarat
ભરૂચ

ભરૂચ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજય સંકલ્પ પથ સંચલન યોજાયું, મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા

ધ્વજ, બેન્ડ અને દંડ સાથે હજારો શિસ્ત બધ્ધ સ્વયંસેવકોનું ઠેર ઠેર વિવિધ પથ ઉપર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું

ભરૂચ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજય સંકલ્પ પથ સંચલન યોજાયું, મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા
X

ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા છત્રપતિ શિવાજી જ્યંતીએ શહેરમાં વિજય સંકલ્પ પથ સંચલન યોજાયું હતું. ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા છત્રપતિ શિવાજી જ્યંતીએ શહેરમાં વિજય સંકલ્પ પથ સંચલન યોજાયું હતું.ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતેથી આર.એસ.એસ.ભરુચ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને હિન્દુ સમાજના સંગઠનનું કાર્ય પ્રત્યેક વસ્તી સુધી પોહચે તેવા શુભ અને વિજય સંકલ્પ સાથે ભરૂચ જિલ્લા વિજય સંકલ્પ પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ધ્વજ, બેન્ડ અને દંડ સાથે હજારો શિસ્ત બધ્ધ સ્વયંસેવકોનું ઠેર ઠેર વિવિધ પથ ઉપર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.પથ સંચલન બાદ દુધધારા ડેરી ગ્રાઉન્ડ પર સમારોહનું આયોજન કરાયું હતું જેમાં કલરવ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ નીલાબેન મોદી,તેમજ અખિલ ભારતીય સહ બૌધિક પ્રમુખ આર.એસ.એસ.ના સુનીલ મહેતાએ સ્વયંસેવકોને માર્ગદર્શન આપ્યું હતું

Next Story