ભરૂચનું “ગૌરવ” : સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં નિપુણતા-કુશળતા ધરાવતા ડો. મહેન્દ્ર પાલની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી

74મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ 106 વ્યક્તિઓ માટે પદ્મ પુરસ્કારોના નામોની જાહેરાત કરવામાં આવી છે.

New Update
ભરૂચનું “ગૌરવ” : સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં નિપુણતા-કુશળતા ધરાવતા ડો. મહેન્દ્ર પાલની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી

74મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ 106 વ્યક્તિઓ માટે પદ્મ પુરસ્કારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ પદ્મ પુરસ્કારો એનાયત કરવાની યાદીમાં 7 ગુજરાતીઓના નામ પણ સામેલ છે. પદ્મશ્રી એવોર્ડમાં ભરૂચના ડો. મહેન્દ્ર પાલનો પણ સમાવેશ થતાં સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

પદ્મ પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક કાર્યોમાં એનાયત કરવામાં આવે છે. જે સામાન્ય રીતે દર વર્ષે માર્ચ-એપ્રિલની આસપાસ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાય છે. વર્ષ 2023 માટે, રાષ્ટ્રપતિએ 106 પદ્મ પુરસ્કારો એનાયત કરવાની મંજૂરી આપી છે. જેમાં 6 પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રી પુરસ્કારો દેશના અલગ અલગ શ્રેષ્ઠીઓને એનાયત કરવામાં આવશે. જોકે, આ પદ્મ પુરસ્કારો એનાયત કરવાની યાદીમાં 7 ગુજરાતીઓના નામ પણ સામેલ છે. પદ્મશ્રી એવોર્ડમાં ભરૂચના ડો. મહેન્દ્ર પાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષયમાં નિપુણતા અને કુશળતા ધરાવે છે. એટલું જ નહીં, ડો. મહેન્દ્ર પાલ દેશ-વિદેશની વિવિધ કોલેજોમાં પોતાની સેવા આપી ચૂક્યા છે. આ સાથે જ તેઓના માર્ગદર્શન હેઠળ ઘણા વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવી ઉચ્ચસ્તરે ખ્યાતિ મેળવી છે. ડો. મહેન્દ્ર પાલે વિવિધ વિષયોને આવરી લઈ ઘણી પુસ્તકો પણ લખી છે. જેને ધ્યાનમાં રાખી ડો. મહેન્દ્ર પાલની પદ્મશ્રી એવોર્ડ માટે વિશેષ પસંદગી કરવામાં આવી છે. ભરૂચના જાણીતા ઓર્થોપેડીક સર્જન ડૉ. સુકેતુ દવે અને ડૉ. પ્રતિભા દવેના પિતાશ્રી એવા ડૉ. મહેન્દ્ર પાલે ભરૂચને ઉચ્ચસ્તરે ગૌરવ પ્રદાન કરાવ્યુ છે, ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લાનું ગૌરવ વધારવા સાથે તેઓએ ભારત સરકારનો આભાર માની આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories