રવિવારે રજાની મજા બગાડતો ટ્રાફિક જામ..! : અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક 3 KM લાંબો ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા...

વાહનોથી સતત ધમધમતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ફરી એકવાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

New Update
રવિવારે રજાની મજા બગાડતો ટ્રાફિક જામ..! : અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક 3 KM લાંબો ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા...

વાહનોથી સતત ધમધમતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ફરી એકવાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી પ્રતિન ચોકડી સુધી તેમજ વાલિયા ચોકડી પર ટ્રાફિક જામ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઇવે પર આવેલ રાજપીપળા ચોકડી નજીક GIDC વિસ્તારને જોડતા નવા માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, આ કામગીરીના પગલે રાજપીપળા ચોકડીથી અંકલેશ્વર GIDC વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.

જેથી હવે અહીનો ટ્રાફિક અંકલેશ્વર પ્રતિન ચોકડી તરફ વળ્યો છે, જેના કારણે અંકલેશ્વરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર વડોદરાથી સુરત તરફ જતાં ટ્રેક પર અંદાજે 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. તો બીજી તરફ, અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી લઈને પ્રતિન પોલીસ ચોકીથી વાલિયા ચોકડી સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

એક તરફ બળબળતા ઉનાળાનો તાપ અને બીજી તરફ ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે વારંવાર થતાં ટ્રાફિક જામને પહોચી વળવા ટ્રાફિક પોલીસ વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.

Latest Stories