ભાવનગર : ગ્રામજનો અને ગામના સરપંચની સતર્કતાને કારણે કુડા ગામ કોરોના સંક્રમણ રોકવા આગળ

New Update
ભાવનગર : ગ્રામજનો અને ગામના સરપંચની સતર્કતાને કારણે કુડા ગામ કોરોના સંક્રમણ રોકવા આગળ

દેશ અને રાજ્યની સાથે ભાવનગર શહેર તેમજ જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધતું જાય છે. ભાવનગર જિલ્લામાં એક સમયે એવી પરિસ્થિતિ હતી કે માત્ર મહાનગરપાલિકા વિસ્તારમાં એટલે કે શહેરમાં જ કોરોનાનું સંક્રમણ વધારે જોવા મળતું હતું. પરંતુ હવે આ કોરોના સંક્રમણ ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રસરી રહ્યું છે. ભાવનગર જિલ્લામાં પાંચ ગામોને કોરોનાના વધુ પડતા સંક્રમણને લઈને તંત્ર દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. પોઝેટીવ દર્દીઓની સંખ્યમાં વધારો થતા હોસ્પિટલો પણ ફૂલ થઇ જતા સારવાર માટે દર્દીઓને અહીતહી ભટકવાનો વારો આવ્યો છે.

એવા સમયે ગ્રામ્યકક્ષાએ સંક્રમિતોની સંખ્યા વધતા ગામડાઓમાં સંક્રમણને રોકવા માટે સ્વેછીક લોકડાઉન આપવામાં આવી રહ્યા છે. ઉપરાંત સંક્રમિત દર્દીઓ માટે ગામમાં જ સારવાર મળી રહે તે માટે આયશોલેશન વોર્ડ અને બેડની વ્યવસ્થાઓ ગ્રામજનો અને સરકારનાં સહયોગ થી કરવામાં આવી છે. ભાવનગર જીલ્લાનું કુડા ગામ કે જ્યાં ગામની વસ્તીના પ્રમાણમાં અત્યાર સુધીમાં માત્ર ૧૬ દર્દીઓ જ કોરોના સંક્રમિત થયા છે અને આ ગામમાં અત્યાર સુધીમાં એક પણ કોરોના દર્દીનું મોત નીપજ્યું નથી. આમ સતર્કતા સાથે ગ્રામજનો અને સરકારી તંત્ર ખભે થી ખભો મેળવી કોરોના સામે જંગ લડી રહ્યું છે.

કોરોનાની બીજી લહેર જાણેકે માનવ જાતને ભરખી રહી હોય તેમ દિવસેને દિવસે કેસોમાં વધારા સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યા છે. એક તરફ હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડ ખૂટી પડ્યા છે તો બીજીતરફ જે પરિવારે પોતાના સ્વજન કોરોના બીમારીમાં મૃત્યુ પામ્યા છે, એમની અંતિમ ક્રિયા માટે પણ લાઈનમા ઉભા રહેવાનો સમય આવ્યો છે. કોરોનાની બીજી લહેરે સ્મશાનોમાં મૃતદેહોનાં અંતિમ સંસ્કાર માટે લાકડાઓ ખૂટી રહ્યા છે. સ્મ્શાનોની આગ શાંત થવાનું નામ લેતી નથી, એવા સમયે લોકોએ પોતે જાગૃત થવા અને બીમારી સામે લડવા શસ્ત્રો ઉગામ્યા છે.

ભાવનગર જીલ્લાનું દરિયા કિનારે આવેલ કુડા એક એવું ગામ કે જે ગામની વસ્તી માત્ર ૩૫૦૦ ધરાવતા ગામ કોરોના સામેની જંગમાં કોરોનાને પરાસ્ત કરવા આગળ આવી રહ્યું છે. આ ગામમાં અત્યાર સુધીમાં વસ્તીના પ્રમાણમાં માત્ર રોજના એક થી બે કેસો જ પોઝિટિવ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ અત્યાર સુધીમાં એક પણ મૃત્યુ કોરોના કારણે થયું નથી. જો હાલના સમયે ગામમાં માત્ર ૧૩ દર્દીઓ જ પોઝિટિવ જોવા મળ્યા છે.

કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થતા ગામડાઓ પણ સંક્રમિત થતા ગામને અને ગ્રામજનોને સુરક્ષિત કરવા કુડા સરપંચ રઘુભાઈ ગોહિલ દ્વારા પંચાયત બેઠક બોલાવી સંક્રમણ રોકવા ગામમાં સ્વેછીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. સરપંચનાં જણાવ્યા અનુસાર ગામમાં કોરોના સંક્રમણનાં અત્યાર સુધીમાં દરરોજના એક થી બે કેસો જ જોવા મળ્યા છે. આ ઉપરાંત ગામમાં જ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ગ્રામજનો અને સરકારના સહયોગ થી સરકારી શાળામાં ૧૦ બેડ સાથેની વ્યસ્થા ઉભી કરવામાં આવી છે, તેમજ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટરોનો સ્ટાફ ખડા પગે દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ગામમાં કોઈ દર્દીને ઓક્સિજનની જરૂર પડે તો તેના માટેની વ્ય્સ્થાઓ પણ ઉભી કરવામાં આવી છે. તેમ છતાં પણ જો વધુ બેડની જરૂરીયાત જણાઈ તો વાડી વિસ્તારમાં આઇશોલેશન વોર્ડ ઉભા કરવા ગામલોકોએ ત્યારીઓ દાખવી છે. કુડા થી ૫ કી.મી દુર ૫૦ બેડ સાથે કોવિડ કેર સેન્ટર પણ ઉપલબ્ધ છે.

આ ગામમાં અત્યાર સુધીમાં એક પણ મોત કોરોનાને કારણે જોવા મળ્યું નથી. અહીના સ્મશાનો પણ સુમશાન જોવા મળી રહ્યા છે. ગ્રામજનો અને સરકારી તંત્રનાં સહયોગ થી ગામમાં કોરોના સંક્રમણને અટકાવવા સેનિટાઇઝેશન સપ્તાહમાં એક વાર કરવામાં આવે છે. ઉપરાંત ગામનો કોઈ વ્યક્તિ પોઝેટીવ જણાઈ આવે તો તેમના ઘર તેમજ આસપાસનાં વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવે છે. ઉપરાંત બીજા કોઈ ગામમાં પ્રવેશતા કોઈ પણ વ્યક્તિને ટેસ્ટીંગ કર્યાબાદ જ પ્રવેશ આપવમાં આવી રહ્યો છે. કુડા ગામમાં અન્ય ગામમાં આવેલ કેસોની સંખ્યામાં ઓછા જોવા મળતા ગામ લોકોની સજાગતા અને તંત્રની મહેનત રંગ લાવી રહિ છે.

Latest Stories