Connect Gujarat
બિઝનેસ

2000 રૂપિયાની નોટ બદલવાનો આજે છેલ્લો દિવસ, વાંચો વધુ !

જો તમારી પાસે હજુ પણ બે હજાર રૂપિયાની નોટો છે, તો તેને બદલીને તમારા ખાતામાં જમા કરવાની આજે છેલ્લી તક છે.

2000 રૂપિયાની નોટ બદલવાનો આજે છેલ્લો દિવસ, વાંચો વધુ !
X

જો તમારી પાસે હજુ પણ બે હજાર રૂપિયાની નોટો છે, તો તેને બદલીને તમારા ખાતામાં જમા કરવાની આજે છેલ્લી તક છે. 7 ઑક્ટોબર પછી બે હજાર રૂપિયાની નોટો ન તો બદલી શકાશે કે ન તો બેંકોમાં જમા કરાવવામાં આવશે. જોકે, RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં આને બદલવાની સુવિધા હશે. જે લોકો જઈ શકતા નથી તેઓ પોસ્ટ દ્વારા નોટ બદલી શકશે.

આરબીઆઈએ કહ્યું કે, 96 ટકા એટલે કે રૂ. 3.43 લાખ કરોડના મૂલ્યની રૂ. 2,000ની નોટો બેન્કોમાં પાછી આવી છે. તેમાંથી 87 ટકા નોટો જમા કરવામાં આવી છે, જ્યારે 13 ટકા નાની કિંમતની નોટો સાથે એક્સચેન્જ કરવામાં આવી છે. જોકે, 3.37 ટકા એટલે કે 12,000 કરોડ રૂપિયાની નોટો હજુ પણ બજારમાં છે.

અગાઉ, આરબીઆઈએ બેંકોમાં 2,000 રૂપિયાની નોટો જમા કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરી હતી. પરંતુ આરબીઆઈએ નોટો બદલવા અને તેને ખાતામાં જમા કરવાની તારીખ વધારીને 7 ઓક્ટોબર કરી હતી. તમને જણાવી દઈએ કે, આ વર્ષે 19 મેના રોજ આરબીઆઈએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી લોકોએ બેંકોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવી અને પરત પણ કરાવી. જોકે શરૂઆતના દિવસો સિવાય આ સમયગાળા દરમિયાન બેંકોમાં વધુ ભીડ જોવા મળી ન હતી.

RBI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 7 ઓક્ટોબર પછી પણ 2000 રૂપિયાની નોટો માન્ય રહેશે. અદાલતો, કાયદા અમલીકરણ એજન્સીઓ, સરકારી વિભાગો અથવા જાહેર સત્તાવાળાઓ તપાસ અથવા કાર્યવાહી દરમિયાન જ્યારે જરૂર પડે ત્યારે કોઈપણ મર્યાદા વિના RBIની 19 ઈસ્યુ ઑફિસમાંથી કોઈપણમાં રૂ. 2000ની બેંક નોટ જમા કરાવી શકશે.

Next Story