CBSEની ધો.૧૨ની અર્થશાસ્ત્રની પરીક્ષા દેશભરમાં ૨૫ એપ્રિલે લેવાશે 

New Update
CBSEની ધો.૧૨ની અર્થશાસ્ત્રની પરીક્ષા દેશભરમાં ૨૫ એપ્રિલે લેવાશે 

સીબીએસઇની ધોરણ.૧૨ની અર્થશાસ્ત્રની પરીક્ષા ૨૫ એપ્રિલે ફરીથી લેવામાં આવશે જ્યારે ધોરણ ૧૦ની ગણિતની પરીક્ષા ફક્ત દિલ્હી અને હરિયાણામાં જુલાઇ મહિનામાં લેવામાં આવે તેવી શકયતા છે તેમ શિક્ષણ સચિવ અનિલ સ્વરૃપે જણાવ્યું હતું

તેમણે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધોરણ ૧૦ના ગણિતના લીક થયેલા પેપર દિલ્હી અને હરિયાણા સુધી જ સિમિત રહ્યાં હોવાથી આ વિષયની પરીક્ષા સમગ્ર દેશમાં લેવામાં નહીં આવે. દિલ્હી અને હરિયાણામાં જુલાઇ મહિનામાં ગણિતની ફરીથી પરીક્ષા લેવામાં આવે તેવી શક્યતા છે.

Latest Stories