કોવિડ-19 : રાજ્યમાં આજે 695 નવા કેસ નોંધાયા, 2122 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

New Update
દેશમાં બીજી વખત એક દિવસમાં 4 લાખથી વધુ કેસ; 24 કલાકમાં 3980 લોકોનાં મોત

રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 695 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો રાજ્યમાં આજે વધુ 11 દર્દીઑના મોત થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9955 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 2122 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 7,93,028 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 14724 પર પહોંચ્યો છે. જેમાંથી 351 દર્દી વેન્ટિલેટર પર અને 14373 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.98 ટકા છે.

રાજ્યમાં આજે નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 108, વડોદરા કોર્પોરેશનમાં 99, સુરત કોર્પોરેશન 79, વડોદરા 41, રાજકોટ કોર્પોરેશન 32, જૂનાગઢ 30, સુરત 30, ગીર સોમનાથ 23, આણંદ 21, મહેસાણા 19, રાજકોટ 19, ભરુચ 18, જામનગર કોર્પોરેશન 18, નવસારી 16, અમરેલી 12, જામનગર 12, પંચમહાલ 12, જૂનાગઢ કોર્પોરેશન 11, કચ્છ 11, સાબરકાંઠા 11, વલસાડ 10, ગાંધીનગર કોર્પોરેશન 8, ખેડા 7, દેવભૂમિ દ્વારકા 6, મહીસાગર 6, અમદાવાદ 5, અરવલ્લી 5, બનાસકાંઠા 4, ભાવનગર 4, ભાવનગર કોર્પોરેશન 4, ગાંધીનગર 4, પાટણ 3, પોરબંદર 2, સુરેન્દ્રનગર 2, દાહોદ 1, મોરબી 1 અને નર્મદા 1 કેસ સાથે કુલ 695 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કારણે 11 દર્દીના મોત થયા છે જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશન 1, સુરત 2, ભરુચ 1, જામનગર કોર્પોરેશન 1, અમરેલી 1, જામનગર 1, કેસ સાથે કુલ 11 લોકોના મોત થયા છે. 

રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 2,58,797 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Latest Stories