દાહોદ: યુવતીના એકતરફી પ્રેમમાં અંધ ભાણેજે મામાની હત્યા કરી, જાણો શું છે કારણ

દાહોદ: યુવતીના એકતરફી પ્રેમમાં અંધ ભાણેજે મામાની હત્યા કરી, જાણો શું છે કારણ
New Update

દાહોદમાં પ્રેમ પ્રકરણમાં ભાણેજે પોતાના જ મામાની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.. ભાણેજ જે યુવતીના એકતરફી પ્રેમમાં અંધ હતો એ જ યુવતીને મામા સાથે સંબન્ધ હતા.

દાહોદના ગલાલિયાવાડ ખાતે રહેતા શ્યામ પારગીનો મૃતદેહ ગત મોડી સાંજે મુવાલીયા ખાતેના તળાવમાંથી મળી આવ્યો હતો શ્યામને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગો ઉપર ઇજા નિશાન જોવા મળતા મૃતકના પિતા એ હત્યાની આશંકાએ દાહોદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાની શંકા તરફ તપાસ કરતા દાહોદ એલ.સી.બી અને એસ.ઓ.જી સહિતની ટિમોએ તપાસ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં જ પોલીસને સફળતા મળી હતી.

પોલીસને માહિતી મળી હતી કે મૃતકનો ભાણેજ અર્જુન નીનામાં અવારનવાર શ્યામના ઘરે આવતો હતો અને અર્જુન જે છોકરીને પ્રેમ કરતો હતો તે છોકરી સાથે શ્યામ પણ વાતચીત કરતો અને મળતો હતો. આ બાબતને લઇને શ્યામ અને અર્જુન વચ્ચે અનેકવાર તકરાર પણ થઈ હતી. આ માહિતી મળતા પોલીસે અર્જુન નીનામાંની અટકાયત કરી કડક પૂછપરછમાં અર્જુને ગુનાની કબૂલાત કરી હતી.

અર્જુન અને શ્યામ વચ્ચે એક જ છોકરીના પ્રેમ સબંધને લઈને બોલાચાલી થઈ હતી ત્યારબાદ અર્જુને શ્યામની હત્યાનો પ્લાન ઘડી નાખ્યો હતો અને બનાવના દિવસે અર્જુને મામાને પોતાના ઘરે બોલાવી મોટરસાયકલ ઉપર રાબડાળ લઈ ગયો ત્યાંથી મુવાલીયા તળાવ ઉપર લઈ જઈ તળાવની પાળ ઉપરથી શ્યામને પાણીમાં ધક્કો મારી દીધો હતો, જ્યારે મૃતકે બચવા માટે પાણીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કર્યો ત્યારે અર્જુને પથ્થરો વડે માથાના ભાગે ઉપરાછાપરી ઘા કરી શ્યામને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આરોપી અર્જુનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#Dahod #Love Affair #dahod murder #Dahod News #Connect Gujarat News
Here are a few more articles:
Read the Next Article