New Update
/connect-gujarat/media/media_files/2025/08/21/mandavyeshwar-mahadev-2025-08-21-14-38-04.jpg)
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર રામકુંડમાં બિરાજમાન માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી નિમિત્તે હોમાત્મક લઘુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3 જોડાઓએ ભાગ લઈ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દેવાધિદેવ મહાદેવને આરાધના કરી હતી.
આ ધાર્મિક કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે તિથિ અને તહેવારો નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાય છે જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લે છે. સાથે જ ભક્તોએ જમણી સૂંઢવાળા ક્ષિપ્રા ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી.
Latest Stories