Home > અન્ય > ધર્મ દર્શન > ભરૂચ: પાલેજ ખાતે રામજીમંદિરમાં મહા આરતી યોજાય,સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત
ભરૂચ: પાલેજ ખાતે રામજીમંદિરમાં મહા આરતી યોજાય,સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત
સાંસદે પ્રથમ રામજીમંદિર ખાતે ગણેશ પ્રતિમાના દર્શન કર્યા હતાં અને સૌનું અભિવાદન કર્યું હતું.
BY Connect Gujarat Desk28 Sep 2023 6:42 AM GMT
X
Connect Gujarat Desk28 Sep 2023 6:42 AM GMT
ભરૂચના પાલેજમાં રામજીમંદિર ખાતે આયોજિત મહાઆરતી તેમજ ભંડારામાં સાંસદ મનસુખવસાવા ઉપસ્થિત રહ્યાં હતાં ગણપતિ વિસર્જનની પૂર્વ સંધ્યાએ પાલેજમાં રામજીમંદિર ટ્રસ્ટીઓ દ્વારા ભંડારાનું આયોજન કર્યું હતું.આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવા,પાલેજ જિલ્લા પંચાયત સદસ્ય મલંગખાન પઠાણ,ઉપ સરપંચ શબ્બીર પઠાણ,ભાજપા તાલુકા ઉપપ્રમુખ જયેશ સોજીત્રા સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યાં હતાં.સાંસદે પ્રથમ રામજીમંદિર ખાતે ગણેશ પ્રતિમાના દર્શન કર્યા હતાં અને સૌનું અભિવાદન કર્યું હતું.સાંસદ મનસુખ વસાવાએ પાલેજમાં એકતા અને ભાઈચારાની ભરોભાર પ્રસંશા કરી હતી
Next Story