Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ : સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શ્રીકૃષ્ણ યાત્રા યોજાય...

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ-ભરૂચ દ્વારા ભવ્ય શ્રીકૃષ્ણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

X

ભરૂચ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શ્રીકૃષ્ણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો વિવિધ વેશભુષા ધારણ કરી યાત્રામાં જોડાયા હતા. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ-ભરૂચ દ્વારા ભવ્ય શ્રીકૃષ્ણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવ મહોત્સવ નિમિત્તે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ-ભરૂચ દ્વારા ઝાડેશ્વરની આત્મીય ગ્રીન સ્કૂલથી કસક વિસ્તાર સ્થિત શ્રી ગોવર્ધનનાથજીની હવેલી સુધી ભવ્ય શ્રીકૃષ્ણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રીકૃષ્ણ યાત્રામાં બાળકોએ શ્રીકૃષ્ણ સહિત વિવિધ વેશભૂષા ધારણ કરી ભક્તિસભર માહોલનું સર્જન કર્યું હતું. શ્રીકૃષ્ણ યાત્રાએ ડીજેના તાલે ગીત-સંગીત અને માર્ગમાં મટકી ફોડના આયોજન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી નીરલ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિતના અગ્રણીઓ અને ખૂબ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજના આગેવાનો અને પરિવારજનો જોડાયા હતા.

Next Story