ભાવનગર રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથની જળાભિષેક વિધિ સંપન્ન

ભગવાન જગન્નાથજીની ૩૯મી રથયાત્રા ભાવનગર શહેરમાં આગામી અષાઢી બીજના રોજ નીકળનારી છે ત્યારે તે પૂર્વે ભગવાન જગન્નાથજીની જુદીજુદી પારંપરિક વિધિઓ યોજાય છે

New Update
ભાવનગરમાં નિકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે જળાભિષેકની વિધિ સંપન્ન કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન ભગવાન જગન્નાથજીની ૩૯મી રથયાત્રા ભાવનગર શહેરમાં આગામી અષાઢી બીજના રોજ નીકળનારી છે ત્યારે તે પૂર્વે ભગવાન જગન્નાથજીની જુદીજુદી પારંપરિક વિધિઓ યોજાય છે જેમાં આજે શહેરના ભગવાનેશ્વર મંદિરે ભગવાન જગન્નાથજીના જળાભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો. 
આજના દિને ભગવાનેશ્વર મંદિરે ભગવાન જગન્નાથજી, બલરામ અને બહેન સુભદ્રાજીની કેસર-ચંદન, પંચામૃત તેમજ ૭ નદીઓના નીર વડે જલાભિષેક કરવામાં આવ્યો હતો.ભગવાનેશ્વર મંદિર ખાતે ચાંદીના ચારણામાં  પંચામૃત અને નદીઓના જળથી યજમાન અને  ટ્રસ્ટીમંડળના વિવિધ સભ્યોના હસ્તે જલાભિષેક કરવામાં આવ્યો હતો. ભૂદેવો દ્વારા પૂજન અર્ચન અને ખાસ મંત્રોચ્ચાર સાથે આ જળાભિષેકની વિધિ કરવામાં આવી હતી 
Read the Next Article

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો આજથી શરુ, જાણો આરતી અને દર્શનનો સમય?

બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે માતાજીનો રથ ખેંચીને અંબાજી ભાદરવી પૂનમ મેળાનો પ્રારંભ કરાવ્યો છે. આ મહામેળો 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે.

New Update
melo

બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે માતાજીનો રથ ખેંચીને અંબાજી ભાદરવી પૂનમ મેળાનો પ્રારંભ કરાવ્યો છે. આ મહામેળો 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે.

ભાદરવો મહિનો શરૂ થયો છે. શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો યોજાયો છે. જેની શરૂઆત આજથી એટલે કે સોમવારથી શરુ થયો છે. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે માતાજીનો રથ ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો છે. આ મહામેળો 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. ભાદરવી પૂનમના દિવસે લાખો ભક્તો અંબાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તંત્ર દ્વારા પણ ભાદરવી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને સુરક્ષાથી લઈને દરેક પ્રકારની વ્યવસ્થાઓ કરી છે.

અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં ગુજરાત સહિત દેશની વિવિધ જગ્યાઓથી ભક્તો અંબાજી આવે છે. લાખો ભક્તો ચાલીને પગપાળા સંઘ લઈને પણ આવે છે. આ દિવસોમાં બોલ માડી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર અંબાજી ગૂંજી ઉઠે છે. અંબાજી ગબ્બર અને અંબાજી મંદિર દર્શન કરવા ભક્તોનું કીડિયારું ઊભરાય છે.

અંબાજી ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન અંબાજી મંદિર તંત્ર દ્વારા ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી સમયમાં ફેરફાર કર્યા છે. મહામેળા દરમિયાન આ પ્રમાણેનો સમય રહેશે.

  • સવારે 6થી 6.30ના આરતી
  • સવારે 6થી 11.30 વાગ્યા સુધી દર્શન
  • સવારે 1130થી 12.30ના દર્શન બંધ રહેશે
  • બપોરે 12.30થી સાંજના 5 વાગા સુધી દર્શન
  • સાંજે 5થી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન
  • રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી દર્શન બંધ

અંબાજી ભાદરવી પૂનમ મેળો શું ખાસ રહેશે?

  • પ્રસાદ વિતરણ માટે કૂલ 28 પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા
  • મેળા દરમિયાન 30 લાખથી વધારે પ્રસાદના પેકેટ વિતરણ કરાશે
  • યાત્રિકો માટે કૂલ ચાર સ્થળોએ નિઃશુક્લ ભોજન વ્યવસ્થા કરાઈ છે
  • સુરક્ષા માટે ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે 5000 જવાનો તૈનાત
  • 332થી વધુ કેમેરા થકી સમગ્ર મેળાનું મોનિટરિંગ કરાશે
  • 1,83,855 ચોરસ મીટર એરિયામાં કૂલ 35 જેટલા પાર્કિંગ ઊભા કરાયા
  • 22541 કરતા વધારે વાહનો પાર્ક થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ
  • શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકે તે માટે show my parking એપ્લિકેશનની ઓનલાઈન સુવિધાન
  • પાર્કિંગથી મંદિર ખાતે જવા આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિના મૂલ્યે મીની બસ સેવા
  • ડ્રોન લાઈટ શો સહિતના આયોજનો કરાયા