Connect Gujarat
ધર્મ દર્શન 

ભગવાન શિવને બિલીપત્ર જ કેમ ચઢાવવામાં આવે છે? કારણ જાણી ચોંકી જશો......

ભગવાન શિવને બિલીપત્ર જ કેમ ચઢાવવામાં આવે છે? કારણ જાણી ચોંકી જશો......
X

શ્રાવણ માસના પવિત્ર પર્વ પર ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે. શ્રાવણ માસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ દરમિયાન ભગવાન શિવની પૂરી ભક્તિભાવ પૂર્વક પૂજા કરવામાં આવે છે અને તમે પૂજામાં ભગવાન શિવજીને ચઢાવવા બિલીપત્ર પણ લઈ જતાં હશો. પરંતુ શું તમને ખબર છે કે ભગવાનને બિલીપત્ર જ કેમ અર્પણ કરવામાં આવે છે.

ભગવાન શિવને બિલીપત્ર ખૂબ જ પ્રિય છે. ધાર્મિક માન્યતા અનુસાર તેમની પૂજામાં બિલીપત્ર ન ચઢાવવાથી પૂજા અધૂરી ગણાય છે. બીલીપત્રના ત્રણ પાન પરસ્પર જોડાયેલા હોય છે. તેથી તે પવિત્ર માનવામાં આવે છે. આ ત્રણ પાનને ત્રિદેવ માનવામાં આવે છે. કહેવાય છે કે આ ત્રણ પાન મહાદેવના ત્રિશુળનું પ્રતિનિધિત્વ કરે છે.

માન્યતા પ્રમાણે બિલીપત્ર ભગવાન પર ચડાવવાથી ભોલેનાથને શાંતિ મળે છે. આ સિવાય બિલીપત્ર ભગવાન શિવની ત્રણ આંખોનું પણ પ્રતિનિધિત્વ કરે છે. સાથે જ તે ભગવાન શિવના અસ્ત્ર ત્રિશુળનું પણ પ્રતિનિધિત્વ કરે છે. બિલીપત્ર ઠંડક પ્રદાન કરે છે. તેથી શ્રાવણમાં બીલીપત્રની પુજા કરનાર ભક્તોને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે. બીલીના વૃક્ષની નીચે શિવલિંગની પૂજા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.

બિલીપત્ર ચડાવવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે. બિલીપત્ર ચડાવવાની સાથે દીવો પ્રગટાવવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ સિવાય બીલીના વૃક્ષ નીચે ગરીબોને ભોજન કરાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

Next Story