ધનતેરસના દિવસે કરો આ ખાસ ઉપાય, ધન આગમનના ખૂલે જશે દ્વાર...
ધનતેરસના તહેવારની સાથે દિવાળીના તહેવારની શરૂઆત થઈ જાય છે. એવું માનવામાં આવે છે
ધનતેરસના તહેવારની સાથે દિવાળીના તહેવારની શરૂઆત થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોના ચાંદીથી બનેલી વસ્તુઓ ખરીદવાથી સાધક પર વર્ષભર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. હિન્દુ ધર્મમાં ધનતેરશનું વિશેષ મહત્વ છે. આ તહેવાર કારતક માસના કૃષ્ણપક્ષની ત્રયોદશી તિથિએ ઉજ્વવામાં આવે છે. ધનતેરસને ધનત્રયોદશી પણ કહેવામા આવે છે. સનાતન ધર્મમાં ધનતેરસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે આ તહેવાર પર આ ખાસ ઉપાય કરશો તો તમને ઘણા ફાયદાઓ થશે.
13 દિવાના ઉપાય
ધનતેરશના દિવસે 13 દીવાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. આ શુભ અવસર પર સ્નાન કર્યા પછી શુધ્ધ હાથે ઘી અને તેલના દીવા પ્રગટાવવા જોઈએ. આ દીવો તમે તમારા ઘરની અંદર અને બહાર પ્રગટાવી શકો છો. આમ કરવાથી માત્ર આર્થિક લાભ જ મળતો નથી પરંતુ અનેક રોગો પર દૂર હાય છે.
નાણાકીય કટોકટી પણ થશે દૂર
આર્થિક તંગીમાંથી છુટકારો મેળવવા માટે ધનતેરસના દિવસે આ ઉપાયો અજમાવો. ધનતેરસના દિવસે સોના ચાંદીના આભૂષણો અથવા સિક્કા ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ધનતેરસના દિવસે એક નવો ચાંદીનો સિક્કો અને કેટલાક જૂના ચાંદીના સિક્કા લો. ત્યાર બાદ આ સિક્કાને હળદરથી કલર કરો. આ સિક્કાઑ ધનની દેવી લક્ષ્મીને અર્પણ કરો.
અખંડ દીવો પ્રગટાવો
ધનતેરસની સાંજે અખંડ દીવો પ્રગટાવો. જે દિવાળીની રાત સુધી પ્રગટાવવાનો હોય. સાથે જ જો તમે આ ભાઈબીજ સુધી પ્રજ્વલિત રાખશો તો તેનાથી તમને વધુ લાભ મળે છે. તેમજ આમ કરવાથી ઘરમાંથી તમામ વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃધ્ધિ બની રહે છે.