દિવાળીથી પણ વધુ મહત્વનો માનવમાં આવતો દિવસ એટ્લે લાભ પાંચમ, જાણો તેનું મહત્વ

દિવાળીથી પણ વધુ મહત્વનો છે આ લાભ પાંચમનો દિવસ, લાભ પાંચમના દિવસે લોકો વિવિધ પૂજા અને ધાર્મિક વિધિઓ કરે છે

New Update
દિવાળીથી પણ વધુ મહત્વનો માનવમાં આવતો દિવસ એટ્લે લાભ પાંચમ, જાણો તેનું મહત્વ

દિવાળીથી પણ વધુ મહત્વનો છે આ લાભ પાંચમનો દિવસ, લાભ પાંચમના દિવસે લોકો વિવિધ પૂજા અને ધાર્મિક વિધિઓ કરે છે, સાથે જ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે પ્રાથના કરવામાં આવે છે, આ દિવસ એટ્લે કે લાભ પાંચમને સૌભાગ્ય લાભ પંચમી પણ કહેવામા આવે છે, જે મુખ્યત્વે ગુજરાતમાં ઉજવવામાં છે અને જે દિવાળીના તહેવારનો છેલ્લો દિવસ મનાય છે, લાભ પાંચમને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવમાં આવે છે, પાંચમ એ ગુજરાતમાં નવા વર્ષનો પ્રથમ કામકાજનો દિવસ ગણાય છે. તેની સાથે જ નવા વેપારની શરૂઆત કરવા માટે પણ આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કે ભારતીય સંસ્કૃતિમાં આ દિવસનું મહત્વ લગ્ન, સૌભાગ્ય, શિક્ષણ, વેપાર અને ધાર્મિક કાર્યો સાથે પણ જોડાયેલું છે. લાભ પાંચમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને લાભ અને સૌભાગ્યની કામના કરવાનો છે. નવ-વિવાહિત દંપતીઓ માટે પણ આ દિવસનું વિશેષ મહત્વ હોય છે.

શુભ સમય લાભ પાંચમ 18 નવેમ્બર 2023 શનિવારના રોજ ઉજવવામાં આવશે.કારતક મહિનાની પાંચમી તિથિ 17 નવેમ્બરના રોજ સવારે 11:03 વાગ્યે શરૂ થઈ અને 18 નવેમ્બરના રોજ સવારે 09:18 વાગ્યે સમાપ્ત થશે. પૂજાનો શુભ સમય સવારે 06:46 થી 10:19 સુધીનો રહેશે.

ભારતીય સંસ્કૃતિમાં લાભપાંચમના તહેવારનું ઘણું મહત્વ છે. લોકો આ દિવસે પૂજા અને ધાર્મિક વિધિઓ કરે છે. તેઓ દેવી લક્ષ્મીના આશીર્વાદ માટે પણ પ્રાર્થના કરે છે, જેથી તેમને સૌભાગ્ય અને સંપત્તિ મળે. આ તહેવાર વિવિધ પ્રદેશોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. લાભપાંચમના દિવસે કોઈપણ નવા વ્યવસાયની શરૂઆત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે વેપારી લોકો નવા હિસાબની શરૂઆત કરે છે, તેને વહીખાતુ કહેવાય છે. આમાં સૌ પ્રથમ ડાબી બાજુ 'શુભ' અને જમણી બાજુ કુમકુમ સાથે 'લાભ' લખવામાં આવે છે. આની વચ્ચે સાથિયો(સ્વસ્તિક) બનાવવામાં આવે છે. આ દિવસે હિન્દુઓ લક્ષ્મીની પૂજા કરે છે. જૈન સમુદાય જ્ઞાનાત્મક પુસ્તકોની પૂજા કરે છે અને સારા બૌદ્ધિક જ્ઞાન માટે પ્રાર્થના કરે છે.

Read the Next Article

ભૂસ્ખલનના ભય વચ્ચે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી, જવાનું વિચારતા હોવ તો આટલું જાણી લો

ભૂસ્ખલન બાદ બદ્રીનાથ તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ગૌરીકુંડમાં કાટમાળ દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે, જેથી યાત્રા જલ્દી શરૂ કરી શકાય.

New Update
Kedarnath yatra2025

કેદારનાથ યાત્રાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં યાત્રાળુઓને રોકવામાં આવ્યા છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે આજે રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લામાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ તરફ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અલકનંદા નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. જોકે, નદી હજુ પણ ખતરાના નિશાનથી નીચે વહી રહી છે.

ભૂસ્ખલન બાદ બદ્રીનાથ તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ગૌરીકુંડમાં કાટમાળ દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે, જેથી યાત્રા જલ્દી શરૂ કરી શકાય. વાસ્તવમાં ઉત્તરાખંડમાં આ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ કારણે ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી રહી છે. તાજેતરમાં ભારે વરસાદને કારણે સોનપ્રયાગમાં ભૂસ્ખલન થયું હતું જેમાં કેદારનાથથી પરત ફરી રહેલા 40 થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા હતા. જોકે બાદમાં રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) દ્વારા સોનપ્રયાગ ભૂસ્ખલન વિસ્તાર નજીક ફસાયેલા 40 શ્રદ્ધાળુઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા. 

ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે. ઘણા ભાગોમાં પાણી પુરવઠો પ્રભાવિત થયો છે. તાજેતરમાં, બારકોટ નજીક વાદળ ફાટવાની ઘટના પણ બની હતી. ઉત્તરાખંડના ચાર જિલ્લાઓ માટે ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વિભાગે 7 અને 8 જુલાઈના રોજ ઉત્તરાખંડના ટિહરી, રુદ્રપ્રયાગ, ચમોલી અને ઉત્તરકાશી જિલ્લામાં ભૂસ્ખલનની શક્યતાની આગાહી કરી છે. આવી સ્થિતિમાં લોકોને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે.


કેદારનાથ યાત્રા એ ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત કેદારનાથ મંદિરની હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ યાત્રા છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને ચાર ધામ યાત્રા (યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ) નો ભાગ છે. કેદારનાથ મંદિર હિમાલયના ખોળામાં 3,583 મીટરની ઊંચાઈ પર સ્થિત છે અને તેને 12 જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે.