New Update
ભરૂચમાં ગણેશ મહોત્સવનું આયોજન
બળેલી ખો યુવક મંડળ દ્વારા આયોજન
આયુષની થીમ પર ગણેશ મહોત્સવ
સ્વદેશી ચિકિત્સા પદ્ધતિનો સંદેશ
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લીધો લાભ
ભરૂચના બળેલી ખો વિસ્તારના શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા આયુષ અને સ્વદેશી ચિકિત્સા પદ્ધતિના પ્રચાર પ્રસાર માટેની થીમ પર ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં હાલ ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. શહેરના વિવિધ મંડળો અનોખી થીમ અને સંદેશાત્મક શણગાર સાથે પંડાલોને આકર્ષક બનાવી રહ્યા છે. આવી જ એક અનોખી પહેલ ભરૂચના બળેલી ખો વિસ્તારમાં જોવા મળી રહી છે, જ્યાં શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા આ વર્ષે "આયુષ અને સ્વદેશી ચિકિત્સા પદ્ધતિઓ"ના પ્રચાર માટે ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.
ભારતીય ઋષિમુનિઓએ શોધેલી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ જેમ કે આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી, જેને ભારત સરકારનું આયુષ મંત્રાલય પ્રોત્સાહન આપે છે, તેને આધારે આ પંડાલનો શણગાર કરવામાં આવ્યો છે. આ મંડળનો હેતુ જનસામાન્યમાં ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.
Latest Stories