Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા...

ગીર સોમનાથ : રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા...
X

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ સોમનાથ મહાદેવના દર્શને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ ચૈતન્ય શંભુ મહારાજ સોમનાથ પધાર્યા હતા. મહાનુભવોએ સોમનાથ મહાદેવના દર્શન કરીને મહાદેવનો જલાભિષેક કર્યો હતો. શ્રી સોમનાથ મંદિરના પૂજારી શ્રી દ્વારા ચંદન તિલક કરીને તેમજ પ્રસાદ અને સ્મૃતિ ચિત્ર આપી મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પૂર્વ મંત્રી અને ચૈતન્ય શંભુ મહારાજનું અભિવાદન કર્યું હતું.

હાલ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહેલ હોય શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ તીર્થ ગોલોકધામ ખાતે અનેક યાત્રીલક્ષી ભક્તિમય આયોજન કરવામાં આવેલ હોય, ત્યારે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ ચૈતન્યશંભુ મહારાજ ગોલોકધામ તીર્થના દર્શને પણ પહોંચ્યા હતા. શ્રીકૃષ્ણની ચરણપાદુકાનો અભિષેક અને પૂજન કરીને મહાનુભાવોએ ધન્યતા વ્યક્ત કરી હતી. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થઈ રહેલ શ્રી સોમનાથ તીર્થના સર્વાંગી વિકાસની મહાનુભાવોએ સરાહના કરી હતી.

Next Story