Connect Gujarat
ધર્મ દર્શન 

ગુજરાતમાં આવેલા આ મંદિરમાં માતાજીને ચઢે છે ચટાકેદાર ભોગ, પ્રસાદમાં મળે છે પીઝા, બર્ગર અને પાણીપુરી.......

એક એવું મંદિર કે જય માતાજીના મંદિરમાં પ્રસાદ કરીકે પીઝા, બર્ગર, હોટડોગ અને પાણિપુરીનો ભોગ ચઢે છે.

ગુજરાતમાં આવેલા આ મંદિરમાં માતાજીને ચઢે છે ચટાકેદાર ભોગ, પ્રસાદમાં મળે છે પીઝા, બર્ગર અને પાણીપુરી.......
X

ગુજરાતમાં ભાત ભાતના મંદિરો આવેલા છે. કેટલાક મંદિરો એવા છે જેમાં લપસિયા ખાવા પડે છે. તો કેટલાકમાં મીઠાની બાધા રાખવી પડે છે. આવા વધુ એક અનોખા મંદર વિષે વાત કરીએ, કે જ્યાં મંદિરમાં પ્રસાદ કરીકે પીઝા, બર્ગર, હોટડોગ અને પાણિપુરીનો ભોગ ચઢે છે.

પ્રખ્યાત બન્યું જીવંતિકા માતાનું મંદિર:-

· અનોખી પ્રસાદીને કારણે હાલ રાજકોટનું જીવંતિકા માતાનું મંદિર ચર્ચામાં આવ્યું છે. કારણ કે, અહી જીવંતિકા માતાને પ્રસાદીમાં સુખડી કે લાડુ નથી ચઢતા. પરંતુ પિત્ઝા, બર્ગર, હોટડોગ તેમજ પાણીપૂરીનો ભોગ ધરાવાય છે. મંદિરમાં આરતી થાય એટલે બાળકોને ચટાકેદાર પ્રસાદ અપાય છે. આ કારણે અહી મોટી સંખ્યામાં બાળકો પ્રસાદ લેવા આવતા હોય છે. મંદિરમાં પ્રસાદીમાં કોલ્ડ્રીંગ પણ આપવામાં આવે છે. તો ક્યારેક બાળકોને ભેળ, વડાપાઉ, સેન્ડવીચ જેવી વસ્તુઓ પણ અપાય છે.

કેમ ચઢાવાય છે આવો ભોગ:-

· આવી પ્રસાદી વિશે મંદિરના આચાર્ય એઇમપ્રસાદ દવે જણાવે છે કે, અત્યારે કળિયુગ છે. જીવંતિકા માતા ખાસ બાળકોના માતાજી છે. આ કારણે બાળકોની પ્રિય વસ્તુ માતાજીને ધરાવવામાં આવે તો માતાજી પણ ખુશ થાય છે. આપણે જેમ આપણા બાળકોને પ્રિય વસ્તુ આપીએ તો બાળકો સાથે સાથે તેના માતા-પિતા પણ ખુશ થાય છે. તેવી રીતે માતાજીને બાળકોની પ્રિયવસ્તુ પ્રસાદરૂપે ધરવામાં આવે તો માતાજી પણ ખુશ થાય છે. અત્યારના બાળકોને ભેળ, વડાપાઉં, સેન્ડવિચ, હોટડોગ, પાણીપુરી અને પિઝા ભાવે છે. જેને લઈને અમે માતાજીને આ અવનવી વાનગીઓ ધરાવીએ છીએ.

Next Story