ક્ચ્છ: માતાનામઢ માં આશાપુરાના દર્શનાર્થે જતાં પદયાત્રીઓ માટે ભુજની ભાગોળે યોજાશે સેલ્ફી કેમ્પ

New Update
ક્ચ્છ: માતાનામઢ માં આશાપુરાના દર્શનાર્થે જતાં પદયાત્રીઓ માટે ભુજની ભાગોળે યોજાશે સેલ્ફી કેમ્પ

એક તરફ લાખો પદયાત્રીઓએ માતાનામઢ માં આશાપુરાના દર્શનાર્થે પ્રસ્થાન કર્યું છે ત્યારે ભુજ મીરઝાપર માર્ગ પર આ વખતે સમાજ નવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ,માં ભારતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નારી શક્તિ વંદન પદયાત્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પનો પ્રારંભ 10 ઓક્ટોમ્બરથી થઇ રહ્યો છે. ચાર દિવસ ચાલનારા કેમ્પમાં પદયાત્રીઓને અલગ અલગ પ્રકારના એનર્જી ડ્રિન્ક આપવામાં આવશે તેમજ અલગ અલગ પ્રકારના બાફેલા કઠોળ પીરસવામાં આવશે,

આ વિશેષ કેમ્પ અંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતની તસવીરો,સાથે સેલ્ફી પોઇન્ટમાં ચન્દ્રયાન સફળતા,અયોધ્યા રામ મંદિર,માતાનામઢનું નિર્માણ પામી રહેલ મંદિરનો સમાવેશ થશે .અહીં લોકો પોતાની સેલ્ફી લઈ શકશે.તેમજ આ કેમ્પમાં અન્ય જોવાલાયક પ્રદર્શની પણ ગોઠવવામાં આવશે.