દેવભૂમિ દ્વારકા : મુકેશ અંબાણીએ પુત્ર અને પુત્રવધૂ સાથે કર્યા ભગવાન દ્વારકાધીશના દર્શન, પાદુકા પૂજન કરી ધન્યતા અનુભવી...

ભગવાન દ્વારકાધીશના પવિત્ર દર્શન કરીને અંબાણી પરિવારે અત્યંત ધન્યતા અને સંતોષની અનુભૂતિ કરી હતી. જે તેમના આધ્યાત્મિક જોડાણને દર્શાવે છે. અંબાણી પરિવાર દ્વારકાધીશમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે

New Update
  • દ્વારકાધીશમાં અતૂટ શ્રદ્ધા ધરાવતો અંબાણી પરિવાર

  • મુકેશ અંબાણી અને પરિવારના સભ્યોએ કર્યા દર્શન

  • દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી પાદુકા પૂજન કર્યું

  • પુત્ર આકાશ અંબાણી-પુત્રવધૂ શ્લોકા અંબાણીની હાજરી

  • અંબાણી પરિવારે અત્યંત ધન્યતાની અનુભૂતિ કરી

ભગવાન દ્વારકાધીશમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા મુકેશ અંબાણી સહિત પરિવારના સભ્યોએ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી પાદુકા પૂજન કરી અત્યંત ધન્યતાની અનુભૂતિ કરી હતી.

સનાતન ધર્મ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશના સૌથી ધનાળ્ય પરિવારના મોભી મુકેશ અંબાણી તેમના પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા અંબાણી સાથે ગુજરાતના પવિત્ર યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ જગત મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા હતાજ્યાં અંબાણી પરિવારના સભ્યોએ ભક્તિભાવપૂર્વક ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી પાદુકા પૂજન કર્યું હતું.

ભગવાનના પવિત્ર દર્શન કરીને અંબાણી પરિવારે અત્યંત ધન્યતા અને સંતોષની અનુભૂતિ કરી હતી. જે તેમના આધ્યાત્મિક જોડાણને દર્શાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કેમુકેશ અંબાણી સહિત તેમનો પરિવાર દ્વારકાધીશમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છેત્યારે અંબાણી પરિવારના દ્વારકા દર્શનને લઈને મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.