/connect-gujarat/media/post_banners/433102980fe0bf047a2682ba6235afed101e550a7aab901f3f461f98568feaaf.webp)
સનાતન ધર્મમાં, એકાદશી વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુને સમર્પિત છે. અને હિન્દુ ધર્મમાં અગિયારસનું ખાસ મહત્વ છે, મહા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ષટ્તિલા એકાદશી વ્રત રાખવામાં આવે છે. આ વખતે ષટ્તિલા એકાદશી 6 ફેબ્રુઆરી 2024ના રોજ આવી રહી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વિશેષ અવસર પર તલ વડે હવન કરવું, તલનું દાન કરવું, તલના પાણીમાં સ્નાન કરવું અને તલનું સેવન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ઘણા ઉપાયો કે જેને કરવાથી સાધકને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. તો આવો જાણીએ ષટ્તિલા એકાદશીના દિવસે કરવાના ઉપાયો વિશે.
ષટ્તિલા એકાદશી માટેના ઉપાય :-
- ષટ્તિલા એકાદશીના દિવસે પૂજા કર્યા પછી તલ ચઢાવો. કહેવાય છે કે આનાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને પૂર્વજો પ્રસન્ન થાય છે.
- આ સિવાય આ દિવસે પાણીમાં તલ (સફેદ કે કાળા તલ) નાખીને સ્નાન કરો. માન્યતા અનુસાર આમ કરવાથી સાધકને સ્વાસ્થ્ય સારું રહે છે.
- સનાતન ધર્મમાં એકાદશીના દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે. ષટ્તિલા એકાદશીના દિવસે તમારી ભક્તિ પ્રમાણે ગરીબોને તલનું દાન કરો. આ ઉપાય કરવાથી દુ:ખ અને દુર્ભાગ્યમાંથી મુક્તિ મળે છે. કાળા તલનું દાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
- ષટ્તિલા એકાદશીના અવસર પર તલ વડે હવન કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. હવનમાં તલ અર્પણ કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.
- ષટ્તિલા એકાદશીના દિવસે ભોજનમાં તલનો ઉપયોગ કરવો જોઈએ.