Connect Gujarat
ધર્મ દર્શન 

સોમનાથ મહાદેવને આજે શ્રાવણ વદ નોમના દિવસે કમળ પુષ્પ શૃંગાર કરવામાં આવ્યો

સોમનાથ મહાદેવને આજે શ્રાવણ વદ નોમના દિવસે કમળ પુષ્પ શૃંગાર કરવામાં આવ્યો
X

શ્રાવણમાસના અંતીમ દિવસોમાં ભક્તો મહાદેવ ના દર્શન માટે દુર-દુર થી આવી રહ્યા છે. ભક્તો વૈવિદ્યતા સભર દર્શનનો લાભ મળે તેવા શુભ આશયથી કમળ પુષ્પ શૃંગાર કરવામાં આવેલો હતો. કમળ કાદવમાં ખીલે છે, છતાં એ કાદવ તેને સ્પર્શી શકતો નથી. કમળની સુંદરતા અને તેની સુગંધ દરેકનું મન મોહનારી છે. કમળની આઠ પાંખડીઓ માણસના જુદા-જુદા ગુણની પ્રતીક છે. કમળ આપણને જીવન જીવવાની રીત શીખવે છે.

કમળની આઠ પાંખડીઓ માનવીના જુદા-જુદા ગુણ દર્શાવે છે. પવિત્રતા, શાંતિ, દયા, મંગળ, નિ:સ્પૃહતા, સરળતા, ઇર્ષ્યાનો અભાવ અને ઉદારતા. જો આપણે આ દરેક ગુણ અપનાવી લઈએ તો આપણે પણ ભગવાનને કમળના ફૂલની જેમ પ્રિય બની જઈએ.

Next Story