સુરેન્દ્રનગર : ચૈત્રી વદ સાતમે પરિવારની તંદુરસ્તી માટે ઠંડુ આરોગવાનો અનેરો મહિમા, શીતળા માતાના મંદિરે ઉમટ્યું ઘોડાપૂર...

ધ્રાંગધ્રા સ્ટેટ વખતના અતિ પૌરાણિક માનવામાં આવતા શીતળા માતાજીના મંદિરે વર્ષમાં 2 દિવસ અનેરું મહત્વ રહ્યું છે. શ્રાવણ વદ સાતમ અને ચૈત્રી વદ સાતમના દિવસે અહી દૂર દૂરથી ભક્તો દર્શને આવે છે.

New Update
  • ધ્રાંગધ્રા સ્ટેટ વખતનું પૌરાણિક શીતળા માતાજીનું મંદિર

  • ચૈત્રી વદ સાતમે શીતળા માતાના દર્શનનો અનેરો મહિમા

  • મહિલાઓ પોતાના પરિવારની તંદુરસ્તી માટે કરે છે વ્રત

  • પરિવાર નિરોગી રહે તે માટે  માતાજીને  કરે છે પ્રાર્થના

  • ચૈત્રી વદ સાતમના દિવસે ઠંડુ આરોગવાનો અનેરો મહિમા 

Advertisment

હિન્દુ સમાજમાં વર્ષોથી ચૈત્રી વદ સાતમના દિવસે ઠંડુ આરોગવાનો અનેરો મહિમા છેત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત શીતળા માતાના મંદિરે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્ટેટ વખતના અતિ પૌરાણિક માનવામાં આવતા શીતળા માતાજીના મંદિરે વર્ષમાં 2 દિવસ અનેરું મહત્વ રહ્યું છે. શ્રાવણ વદ સાતમ અને ચૈત્રી વદ સાતમના દિવસે અહી દૂર દૂરથી ભક્તો દર્શને આવે છે. કહેવાય છે કેશીતળા માતાજીનું મંદિર 200 વર્ષ જૂનું છે. ચૈત્રી વદ સાતમના દિવસે પરણિત મહિલાઓ સવારે દર્શન કર્યાં બાદ જ પોતાની દિનચર્યાની શરૂઆત કરે છે.

એવી પણ માન્યતા છે કેમહિલાઓ આ દિવસે મંદિરે પૂજન-અર્ચન અને દર્શન કર્યા બાદ ઠંડુ ભોજન આરોગી પોતાના બાળકો અને પરિવારની તંદુરસ્તી અને લાંબા આયુષ્ય માટે વ્રત રાખી શીતળા માતાજીની ભક્તિ કરે છેત્યારે આજરોજ ચૈત્રી વદ સાતમના દિવસે શીતળા માતાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.

Advertisment
Latest Stories