સુરેન્દ્રનગર : ચૈત્રી વદ સાતમે પરિવારની તંદુરસ્તી માટે ઠંડુ આરોગવાનો અનેરો મહિમા, શીતળા માતાના મંદિરે ઉમટ્યું ઘોડાપૂર...

ધ્રાંગધ્રા સ્ટેટ વખતના અતિ પૌરાણિક માનવામાં આવતા શીતળા માતાજીના મંદિરે વર્ષમાં 2 દિવસ અનેરું મહત્વ રહ્યું છે. શ્રાવણ વદ સાતમ અને ચૈત્રી વદ સાતમના દિવસે અહી દૂર દૂરથી ભક્તો દર્શને આવે છે.

New Update
  • ધ્રાંગધ્રા સ્ટેટ વખતનું પૌરાણિક શીતળા માતાજીનું મંદિર

  • ચૈત્રી વદ સાતમે શીતળા માતાના દર્શનનો અનેરો મહિમા

  • મહિલાઓ પોતાના પરિવારની તંદુરસ્તી માટે કરે છે વ્રત

  • પરિવાર નિરોગી રહે તે માટે  માતાજીને  કરે છે પ્રાર્થના

  • ચૈત્રી વદ સાતમના દિવસે ઠંડુ આરોગવાનો અનેરો મહિમા

હિન્દુ સમાજમાં વર્ષોથી ચૈત્રી વદ સાતમના દિવસે ઠંડુ આરોગવાનો અનેરો મહિમા છેત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત શીતળા માતાના મંદિરે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્ટેટ વખતના અતિ પૌરાણિક માનવામાં આવતા શીતળા માતાજીના મંદિરે વર્ષમાં 2 દિવસ અનેરું મહત્વ રહ્યું છે. શ્રાવણ વદ સાતમ અને ચૈત્રી વદ સાતમના દિવસે અહી દૂર દૂરથી ભક્તો દર્શને આવે છે. કહેવાય છે કેશીતળા માતાજીનું મંદિર 200 વર્ષ જૂનું છે. ચૈત્રી વદ સાતમના દિવસે પરણિત મહિલાઓ સવારે દર્શન કર્યાં બાદ જ પોતાની દિનચર્યાની શરૂઆત કરે છે.

એવી પણ માન્યતા છે કેમહિલાઓ આ દિવસે મંદિરે પૂજન-અર્ચન અને દર્શન કર્યા બાદ ઠંડુ ભોજન આરોગી પોતાના બાળકો અને પરિવારની તંદુરસ્તી અને લાંબા આયુષ્ય માટે વ્રત રાખી શીતળા માતાજીની ભક્તિ કરે છેત્યારે આજરોજ ચૈત્રી વદ સાતમના દિવસે શીતળા માતાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.

Read the Next Article

દ્વારકા : નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે શ્રાવણ માસની શરૂઆત સાથે જ ભક્તો બન્યા શિવમય,મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી ઉભરાયુ

નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.અને ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.નાગેશ્વર ખાતે ભગવાન ભોળાનાથની 85 ફૂટ ઉંચી પ્રતિમા છે

New Update
  • શિવમય શ્રાવણનો પ્રથમ દિવસ

  • નાગેશ્વર ધામમાં ગુંજ્યો શિવનો નાદ

  • નાગેશ્વર મહાદેવના દર્શન માટેનો થનગનાટ

  • વહેલી સવારથી જ ભક્તોની લાગી લાંબી કતાર

  • મહાદેવજીના દર્શનથી ભક્તોએ અનુભવી ધન્યતા  

દ્વારકા જિલ્લાના 12 જ્યોતિર્લિંગ પૈકીના એક નાગેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ દિવસથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.અને નાગેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

દ્વારકા જિલ્લાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આજે શ્રાવણ માસની શરૂઆત થતાં ભક્તો ભોળાનાથના દર્શન માટે ઉમટ્યા હતા.નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.અને ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.નાગેશ્વર ખાતે ભગવાન ભોળાનાથની 85 ફૂટ ઉંચી પ્રતિમા છે.આ મંદિરનું નિર્માણ પ્રસિદ્ધ સંગીતકાર સ્વ.ગુલશન કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

અહીં નાગેશ્વર ખાતે નાગ નાગણીના જોડા ચડાવવાનો વિશેષ મહિમા છે.શ્રાવણ માસમાં ખાસ ભક્તો ભારત ભરમાંથી આ 12 જ્યોતિર્લિંગ પૈકીના એક એવા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શને આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે અહીં ભક્તો શ્રદ્ધા ભાવ સાથે દર્શને આવે છે,અને દર્શન માત્રથી મનુષ્ય જીવનું કલ્યાણ થાય છે. તેમજ શ્રાવણ માસમાં પૂજાનું  વિશેષ મહત્વ છે,ત્યારે દર્શને આવતા ભક્તો અહીં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે.

નાગેશ્વર મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ હિન્દુ શિવ મંદિર છે.તે દ્વાદશ 12 જ્યોતિર્લિંગમાનું એક છે.નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે.ત્યારે શ્રાવણ માસમાં જ્યોતિર્લિંગના દર્શનનું પણ અનેરું મહત્વ છે.ત્યારે શિવભક્તો નાગેશ્વર ધામના દર્શન કરીને મનની શાંતિ સાથે ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.