Connect Gujarat
ધર્મ દર્શન 

ગળામાં કાળો દોરો પહેરવાથી થાય છે આ 5 ચમત્કારિક ફાયદાઓ, દૂર થાય છે આ તકલીફો......

તમે ઘણા લોકોના ગળામાં જોયું હશે કે તેમણે કાળો દોરો પહેર્યો છે. ઘણા લોકો હાથમાં કાળો દોરો બાંધે છે તો ઘણા લોકો પગમાં કાળો દોરો છે.

ગળામાં કાળો દોરો પહેરવાથી થાય છે આ 5 ચમત્કારિક ફાયદાઓ, દૂર થાય છે આ તકલીફો......
X

તમે ઘણા લોકોના ગળામાં જોયું હશે કે તેમણે કાળો દોરો પહેર્યો છે. ઘણા લોકો હાથમાં કાળો દોરો બાંધે છે તો ઘણા લોકો પગમાં કાળો દોરો છે. તો આજે અમે તમને જણાવીશું કે પગમાં કાળો દોરો બાંધવાથી શું ફાયદો થાય છે અને કઈ કઈ તકલીફો દૂર થાય છે.

નજર દોષ

ગળામાં કાળો દોરો પહેરવાથી કોઈ પણ જાતની ખરાબ નજર તમારા પર પડતી નથી. આ સાથે જ નજર લાગવાથી થતી સમસ્યાઓથી મુક્તિ મળી જાય છે.

અણધાર્યું જોખમ ટળે છે

ગળામાં કાળો દોરો પહેરવાથી અણધાર્યું જોખમ ટળી જાય છે. જો તમારા જીવનમાં પણ આવી કોઈ સમસ્યા હોય તો કાળો દોરો ગળામાં પહેરી લો.

ખરાબ વિચારો

ગળામાં કાળો દોરો પહેરવાથી ખરાબ વિચારોથી મુક્તિ મળે છે. જો તમારા મનમાં સતત ખરાબ વિચારો જ આવતા હોય તો ગળામાં કાળો દોરો જરૂરથી બાંધવો જોઈએ.

બાળકો માટે

ઘણી વખત બાળકોની તબીયત વારંવાર બગડી જતી હોય છે. જો બાળકને વારંવાર આ સમસ્યાઓ થતી હોય તો તેના ગળામાં કાળો દોરો બાંધી દેવો જોઈએ.

નકારાત્મક ઉર્જા

જો નકારાત્મક ઉર્જાઑ તમારા જીવનમાં પરેશાનીઓ લાવતી હોય તો તેને દૂર કરવાનો સૌથી બેસ્ટ ઉપાય છે આ કાળો દોરો. તેને તમે ગળામાં બાંધી દો. બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે.

Next Story