અંકલેશ્વર SVM ગુજરાતી માધ્યમ શાળામાં શિક્ષક દિન પ્રસંગે સન્માનનીય વધામણા કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા વયનિવૃત્ત સારસ્વત શિક્ષકોનું શાલ ઓઢાડીને અને શાળામાં 25 વર્ષ પૂર્ણ કરનાર કર્મનિષ્ઠ શિક્ષકોને પ્રમાણપત્ર અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા

New Update

અંકલેશ્વર SVM શાળામાં શિક્ષક દિનની કરાઇ ઉજવણી 

સન્માનીય વધામણા કાર્યક્રમ યોજાયો 

નિવૃત શિક્ષકોનું કરાયુ સન્માન 

25 વર્ષ પૂર્ણ કરનાર શિક્ષકોને પણ કરાયા સન્માનિત 

વિવેક અમૃતમ મેગેઝીનનું કરાયુ વિમોચન

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળામાં શિક્ષક દિન પ્રસંગે સન્માનનીય વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળામાં સન્માનનીય વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મૂળ આશય અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના પ્રમુખ ભુપેન્દ્ર શાહ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે UPL યુનિવર્સિટીના ડાયરેકટર અશોક પંજવાણી અને ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર ભાવના શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શાળા મેગેઝીન "વિવેક અમૃતમ" નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા વયનિવૃત્ત સારસ્વત શિક્ષકોનું શાલ ઓઢાડીને અને શાળામાં 25 વર્ષ પૂર્ણ કરનાર કર્મનિષ્ઠ શિક્ષકોને પ્રમાણપત્ર અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.વધુમાં કાર્યક્રમમાં અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ,શિક્ષકો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. 
Read the Next Article

ભરૂચ:  જિલ્લાની માધ્યમિક શાળાઓને મળ્યા નવા 76 શિક્ષકો, નિમણુંકપત્ર વિતરણ સમારોહ યોજાયો

ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં 76 જેટલા શિક્ષણ સહાયકોને ભલામણપત્ર અને નિમણૂકપત્ર આપી તેમની શિક્ષણ જગતની કારકિર્દીનો શુભારંભ કરાવવામાં આવ્યો

New Update
Appointment letter
અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળા ખાતે શિક્ષણ સહાયક ભલામણપત્ર - નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં, ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં 76 જેટલા શિક્ષણ સહાયકોને ભલામણપત્ર અને નિમણૂકપત્ર આપી તેમની શિક્ષણ જગતની કારકિર્દીનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી પસંદગી સમિતિના સભ્ય અને શાળા સંચાલક મંડળ, ભરૂચના પ્રમુખ પ્રવિણસિંહ રણા, ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘ અને ભરૂચ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડા તેમજ ભરૂચ જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ પુષ્કરસિંહ રણા દ્વારા ભરૂચ જિલ્લામાં નિયુક્તિ પામનાર શિક્ષકોને અભિનંદન પાઠવી શાળાઓના શિક્ષણને વેગવંતુ અને અસરકારક બનાવવા અપીલ કરી હતી.
શિક્ષણાધિકારી સ્વાતિબા કે રાઓલ દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં નવા શિક્ષણ સહાયકોને અપડેટ રહી ગ્રાન્ટેડ શાળાઓમાં શ્રેષ્ઠ પરિણામ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા જણાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક અને ભરતીના નોડલ અધિકારી  દિવ્યેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.