ગીર સોમનાથ : ઉનાના કાળાપણ ગામની જર્જરિત શાળાના બાળકો પર ઝળુંબતું જીવનું "જોખમ"

શાળામાં મધ્યાહન ભોજન નો શેડ ન હોવાના કારણે બાળકો ભર ઉનાળે 40 ડીગ્રી તાપમાં ભોજન લેવા મજબુર બન્યા છે

New Update
ગીર સોમનાથ : ઉનાના કાળાપણ ગામની જર્જરિત શાળાના બાળકો પર ઝળુંબતું જીવનું "જોખમ"

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાળાપણ ગામની પ્રાથમિક શાળાના મકાનનો શેડ પડી ભાંગ્યો છે. જેના કારણે મધ્યાહન ભોજન લેતી વેળા બાળકો ધોમ ધખતા તાપમાં શેકાય રહ્યા છે, ત્યારે સમગ્ર મામલે સ્થાનિક ધારાસભ્ય અને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાળાપણ ગામની પ્રાથમિક શાળામાં 500થી વધુ બાળકો ધોરણ 1થી 8માં અભ્યાસ કરે છે. જોકે, શાળામાં મધ્યાહન ભોજન નો શેડ ન હોવાના કારણે બાળકો ભર ઉનાળે 40 ડીગ્રી તાપમાં ભોજન લેવા મજબુર બન્યા છે. એટલું જ નહીં બાળકો ધૂળના ઢગલા પર બેસી મધ્યાહન ભોજન લઈ રહ્યા છે.

કાળાપણ પ્રાથમિક શાળાના આચાર્યના જણાવ્યા અનુસાર, શાળામાં માત્ર 10થી 12 ઓરડા સારા છે. અને બાકીના તમામ ઓરડા જર્જરિત હાલતમાં આવી ગયા છે. જોકે, શાળાના 6 ઓરડા સાવ જર્જરિત થતાં તોડી પડાયા છે. જેના કારણે બાળકોને હવે 10-12 ઓરડામાં સમાવવા મુશ્કેલ બન્યું છે. જેથી 2 પાળીમાં શાળા ચલાવવાની આચાર્યને ફરજ પડી છે.

જોકે, થોડા દિવસો પહેલા ઉનાના અંજાર ગામેથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા, ત્યારે કાળાપણ ગામની પ્રાથમિક શાળાની પણ આવી જ હાલત રહેતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. એટલું જ નહીં શાળામાં મધ્યાહન ભોજન બનાવનાર પણ વર્ષ 2021થી કોઈ ન હોવાના કારણે મદદનીશ રાખવાની ફરજ પડી છે. ઉપરાંત શાળામાં શિક્ષકોની ઘટ હોવાનું પણ બહાર આવતા ઉનાના ધારાસભ્ય પૂજા વંશે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.

Read the Next Article

ભરૂચ: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત ભરૂચમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજન

  • રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત આયોજન કરાયું

  • સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરાયું

  • મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા

ભરૂચ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત સંસ્કૃત ભાષાનુ ગૌરવ, સંરક્ષણ અને પ્રસાર-પ્રચાર થાય એ હેતુથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા પાંચ વિશિષ્ટ યોજનાઓ અમલમાં મૂકી છે જે અંતર્ગત “સંસ્કૃત સપ્તાહ યોજના”ની ત્રિદિવસીય ઉજવણી હેઠળ ભરૂચ જિલ્લામાં ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈ શક્તિનાથ સર્કલ બાદ કલેક્ટર કચેરી ખાતે સમાપન થઈ હતી. 
યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા હતા. યાત્રામાં ટેબ્લો અને વેશભૂષા દ્વારા વેદો, ઉપનિષદો, ઋષિમુનિઓ, સંસ્કૃતના કવિઓ, લેખકો, પુરાણો, મંત્રશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જેવી સંસ્કૃત સંસ્કૃતિની વિરાસતને દર્શાવવામાં આવી હતી.આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઉલ અને શિક્ષણ કચેરીના દિવ્યેશ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ જાગૃતિ રેલી કાઢી અને સંસ્કૃત ભાષા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.