PTC ના વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર, TET-1ને લઈને શિક્ષણ વિભાગે લીધો મોટો નિર્ણય

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે પીટીસી (પ્રાથમિક શિક્ષણ તાલીમ કોર્સ)ના વિદ્યાર્થીઓ માટે એક ઐતિહાસિક અને રાહતભર્યો નિર્ણય લીધો છે. હવે પીટીસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ TET-1 પરીક્ષા આપવા માટે મંજૂરી મળી છે.

New Update
PTC

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે પીટીસી (પ્રાથમિક શિક્ષણ તાલીમ કોર્સ)ના વિદ્યાર્થીઓ માટે એક ઐતિહાસિક અને રાહતભર્યો નિર્ણય લીધો છે.

હવે પીટીસી (પ્રાથમિક શિક્ષણ તાલીમ કોર્સ) ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ TET-1 પરીક્ષા આપવા માટે મંજૂરી મળી છે. 

અત્યાર સુધી માત્ર પીટીસી (પ્રાથમિક શિક્ષણ તાલીમ કોર્સ) પાસ કરેલા ઉમેદવારોને જ આ પરીક્ષા આપવાની પરવાનગી હતી, પરંતુ લાંબા સમયથી ચાલતી વિદ્યાર્થીઓની રજૂઆત અને તેમની માંગણીઓને ધ્યાનમાં રાખીને વિભાગે આ મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં મૂક્યો છે. આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી આગળ વધારવાની તક મળશે.

અહેવાલો મુજબ, સરકારના આ નિર્ણયથી આશરે 5200 જેટલા વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે અને તેઓ હવે TET-1 પરીક્ષા આપી શકશે. આ સાથે જ શિક્ષણ વિભાગે પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખમાં પણ વધારો કર્યો છે.

અગાઉ આ તારીખ 12 નવેમ્બર સુધી નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે ઉમેદવારો 18 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકશે. ઘણા વિદ્યાર્થીઓએ પહેલાની તારીખ ચૂકી જવાના કારણે ફોર્મ નહીં ભરી શક્યા હતા, પરંતુ હવે તેમને નવી તક મળી છે.

શિક્ષણ વિભાગના આ નિર્ણયથી રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં નવા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને વિદ્યાર્થીઓમાં નવી આશા જન્મી છે, કારણ કે હવે તેઓ પોતાના સપના મુજબ શિક્ષક બનવા તરફ એક મહત્વપૂર્ણ પગલું લઈ શકશે.

Latest Stories