વલસાડ : બોર્ડની પરીક્ષા પૂર્વે ધો-12ના વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 2500ની ઉઘરાણી કરતી સ્વામિનારાયણ સ્કૂલ સામે DEOની કાર્યવાહી..!

સ્કૂલ સંચાલકો દ્વારા હોલ ટિકિટના નામે રૂ. 2500 પડાવ્યા હોવાનું બહાર આવતાં ચકચાર મચી ગઈ છે. જોકે, વિવાદ વધતા આખરે શિક્ષણ વિભાગ પણ દોડતું થઈ જરૂરી તપાસ હાથ ધરી

New Update
  • ધરમપુરની સ્વામિનારાયણ સ્કૂલ વિવાદમાં આવતા ચકચાર

  • સ્વામિનારાયણ સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી

  • બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ પાસેથી નાણાં ખંખેરાયા

  • હોલ ટિકિટના નામે રૂ. 2500 પડાવ્યા હોવાનું બહાર આવ્યું

  • વિવાદ વકરતા આખરે શિક્ષણ વિભાગ પણ દોડતું થઈ ગયું

બોર્ડની પરીક્ષા શરૂ થવા પહેલા જ વલસાડના ધરમપુરની એક શાળા વિવાદમાં આવી છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ પાસેથી સ્કૂલ સંચાલકો દ્વારા હોલ ટિકિટના નામે રૂ. 2500 પડાવ્યા હોવાનું બહાર આવતાં ચકચાર મચી ગઈ છે. જોકેવિવાદ વધતા આખરે શિક્ષણ વિભાગ પણ દોડતું થઈ જરૂરી તપાસ હાથ ધરી છે.

આગામી તા. 27મી ફેબ્રુઆરીથી ધોરણ 12 અને ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આથી અત્યારે સ્કૂલો દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવી રહી છે. જોકેધરમપુરના માલનપાડામાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલ દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ પાસેથી હોલ ટિકિટના સાથે રૂ. 2500 ખંખેરી લીધા હતા.

આમ કોઈ કારણ વિના સ્કૂલ સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી કરવામાં આવેલી આ રૂ. 2500ની ઉઘરાણીનો મામલો ચર્ચાસ્પદ બનતા વિવાદ શરૂ થયો હતો. શિક્ષણ વિભાગને ધ્યાન આવતા શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી હતીઅને શિક્ષણ વિભાગની ટીમ ધરમપુરના માલનપાડા સ્કૂલ પહોંચી અને સંચાલકો અને સ્કૂલ સ્ટાફની પૂછપરછ કરી હતી.

જોકેવાત બહાર આવી જતા અને વિવાદ વકરતા સ્કૂલ સંચાલકો દ્વારા રૂ. 2500 ધોરણ 11ની રજીસ્ટ્રેશન ફીના હોવાનું બહાનું આગળ ધરવામાં આવી રહ્યું છે. જે રૂ. 2500ની ઉઘરાણી માટે જે રીસીપ્ટો આપવામાં આવી છેતે રીસીપ્ટોને લઈને પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.

શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી હતીઅને શાળા સંચાલકો અને આચાર્યનો જવાબ લીધો હતો. તપાસમાં પણ શાળાએ ગેરકાયદેસર રીતે ફી ઉઘરાવી હોવાનું બહાર આવ્યું છે. આથી 2 દિવસમાં જ ઉઘરાવેલી ફી વિદ્યાર્થીઓના વાલીઓને પરત કરવા શિક્ષણ અધિકારીએ આદેશ કર્યા છે. આ સાથે જ આ ગેરરીતી બદલ શાળાને શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી છે.

Read the Next Article

ગાંધીનગર : રહેઠાણ સહિતની સુવિધાઓથી સજ્જ સમરસ બૉઈઝ હોસ્ટેલ વિદ્યાર્થીઓમાં પ્રથમ પસંદગીનું સ્થાન બની

આ હોસ્ટેલોમાં રાજ્યના વિવિધ ખૂણેથી આવતા વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન, લાયબ્રેરી, રમત-ગમત માટે મેદાન વગેરેની તમામ સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે

New Update
  • વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સમાન સમરસ બૉઈઝ હોસ્ટેલ

  • વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રખાય છે સુવિધાઓ

  • તમામ જાતિના વિદ્યાર્થીઓ અહી મેળવી રહ્યા છે ઉચ્ચ શિક્ષણ

  • રહેઠાણભોજનલાયબ્રેરીરમત-ગમત સહિતની સુવિધાઓ

  • વિદ્યાર્થીઓમાં સમરસ બોયઝ હોસ્ટેલ પસંદગીનું પ્રથમ સ્થાન

રાજ્યમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી તમામ સુવિધાઓ સાથે ગાંધીનગર સ્થિત સમરસ બૉઈઝ હોસ્ટેલ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

ગાંધીનગર સ્થિત સમરસ બૉઈઝ હોસ્ટેલમાં તમામ જાતિના ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ એક છત નીચે રહી અભ્યાસ કરી રહ્યા છે. આ હોસ્ટેલોમાં રાજ્યના વિવિધ ખૂણેથી આવતા વિદ્યાર્થીઓને રહેઠાણભોજનલાયબ્રેરીરમત-ગમત માટે મેદાન વગેરે સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે.

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારની આ પહેલથી દૂર-દૂરના વિસ્તારોમાંથી અભ્યાસ માટે મહાનગરમાં આવતા વિદ્યાર્થીઓને ખૂબ ફાયદો થઈ રહ્યો છે. ગાંધીનગરની વિવિધ કોલેજોમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓમાં રહેવાસ માટે સમરસ બોયઝ હોસ્ટેલ પ્રથમ પસંદગીનું સ્થાન બની ગયું છેજેનું કારણ અહીં મળતી તમામ સુવિધાઓ છે.

સમરસ હોસ્ટેલમાં સુરક્ષા અને સ્વચ્છતાને પણ પ્રાથમિકતા આપવામાં આવે છે. બહુમાળી છાત્રાલયમાં વિદ્યાર્થીઓ માટે લિફ્ટવાહનો માટે પૂરતું પાર્કિંગ અને રમવા માટે રમતનું મેદાન પણ છે. આમરાજ્ય સરકારની આ યોજના વિદ્યાર્થીઓના સારા ભવિષ્યને ઘડવામાં મહત્વની સાબિત થઈ રહી છે.