વલસાડ : બોર્ડની પરીક્ષા પૂર્વે ધો-12ના વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 2500ની ઉઘરાણી કરતી સ્વામિનારાયણ સ્કૂલ સામે DEOની કાર્યવાહી..!

સ્કૂલ સંચાલકો દ્વારા હોલ ટિકિટના નામે રૂ. 2500 પડાવ્યા હોવાનું બહાર આવતાં ચકચાર મચી ગઈ છે. જોકે, વિવાદ વધતા આખરે શિક્ષણ વિભાગ પણ દોડતું થઈ જરૂરી તપાસ હાથ ધરી

New Update
  • ધરમપુરની સ્વામિનારાયણ સ્કૂલ વિવાદમાં આવતા ચકચાર

  • સ્વામિનારાયણ સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી

  • બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ પાસેથી નાણાં ખંખેરાયા

  • હોલ ટિકિટના નામે રૂ. 2500 પડાવ્યા હોવાનું બહાર આવ્યું

  • વિવાદ વકરતા આખરે શિક્ષણ વિભાગ પણ દોડતું થઈ ગયું

Advertisment

બોર્ડની પરીક્ષા શરૂ થવા પહેલા જ વલસાડના ધરમપુરની એક શાળા વિવાદમાં આવી છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ પાસેથી સ્કૂલ સંચાલકો દ્વારા હોલ ટિકિટના નામે રૂ. 2500 પડાવ્યા હોવાનું બહાર આવતાં ચકચાર મચી ગઈ છે. જોકેવિવાદ વધતા આખરે શિક્ષણ વિભાગ પણ દોડતું થઈ જરૂરી તપાસ હાથ ધરી છે.

આગામી તા. 27મી ફેબ્રુઆરીથી ધોરણ 12 અને ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આથી અત્યારે સ્કૂલો દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવી રહી છે. જોકેધરમપુરના માલનપાડામાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલ દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ પાસેથી હોલ ટિકિટના સાથે રૂ. 2500 ખંખેરી લીધા હતા.

આમ કોઈ કારણ વિના સ્કૂલ સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી કરવામાં આવેલી આ રૂ. 2500ની ઉઘરાણીનો મામલો ચર્ચાસ્પદ બનતા વિવાદ શરૂ થયો હતો. શિક્ષણ વિભાગને ધ્યાન આવતા શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી હતીઅને શિક્ષણ વિભાગની ટીમ ધરમપુરના માલનપાડા સ્કૂલ પહોંચી અને સંચાલકો અને સ્કૂલ સ્ટાફની પૂછપરછ કરી હતી.

જોકેવાત બહાર આવી જતા અને વિવાદ વકરતા સ્કૂલ સંચાલકો દ્વારા રૂ. 2500 ધોરણ 11ની રજીસ્ટ્રેશન ફીના હોવાનું બહાનું આગળ ધરવામાં આવી રહ્યું છે. જે રૂ. 2500ની ઉઘરાણી માટે જે રીસીપ્ટો આપવામાં આવી છેતે રીસીપ્ટોને લઈને પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.

શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી હતીઅને શાળા સંચાલકો અને આચાર્યનો જવાબ લીધો હતો. તપાસમાં પણ શાળાએ ગેરકાયદેસર રીતે ફી ઉઘરાવી હોવાનું બહાર આવ્યું છે. આથી 2 દિવસમાં જ ઉઘરાવેલી ફી વિદ્યાર્થીઓના વાલીઓને પરત કરવા શિક્ષણ અધિકારીએ આદેશ કર્યા છે. આ સાથે જ આ ગેરરીતી બદલ શાળાને શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ચોક્કસ સ્ટેશનરીમાંથી જ નોટબુક-યુનિફાર્મ ખરીદવા વાલીઓને દબાણ કરાતું હોવાના આક્ષેપ

શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખાસ સ્ટેશનરી મારફતે નોટબુક સહિતની વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણાઅધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

New Update
  • ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવાયું

  • આગેવાનો દ્વારા પાઠવાયું આવેદનપત્ર

  • શૈક્ષણિક સંસ્થાઓ મનમાની કરતી હોવાના આક્ષેપ

  • ઊંચા ભાવે યુનિફોર્મ-નોટબુકના વેચાણના આક્ષેપ

  • કડક પગલા ભરવા કરાય માંગ

Advertisment W3.CSS
ભરૂચ જિલ્લામાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખાસ સ્ટેશનરી મારફતે નોટબુક સહિતની વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણાઅધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
હાલ નવું શૈક્ષણિક સત્ર શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વાલીઓ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ બુટ નોટબુક સહિત ચોપડાઓની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે ત્યારે ભરૂચ જિલ્લાની અનેક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શાળાની ચિહ્નિત નોટબુકો તેમજ યુનિફોર્મ છપાવીને ખાસ સ્ટેશનરી દુકાનો દ્વારા ઊંચા ભાવે વેચાણ કરાવાતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
રૂ. 25થી 30ની કિંમતે ઉપલબ્ધ નોટબુકો રૂ. 50થી 60માં વેચાય રહી છે જેના લીધે વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે.આ મુદ્દે ભરૂચના યુવા આગેવાન યોગી પટેલ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે શાળાઓના નામ અને ચિહ્નોનો ઉપયોગ કરીને સ્ટેશનરી દુકાનો તરફથી ઉંચા ભાવે કરાતું વેચાણ ગેરકાયદેસર છે.