Connect Gujarat
શિક્ષણ

તમે ધોરણ 12 કે ગ્રેજ્યુએશન પછી વકીલ બની શકો છો, જાણો સમગ્ર પ્રક્રિયા

વકીલ એ આપણા દેશમાં એક શ્રેષ્ઠ વ્યવસાય માનવામાં આવે છે. લાખો યુવાનો પ્રખ્યાત વકીલ બનવાનું સ્વપ્ન જુએ છે.

તમે ધોરણ 12 કે ગ્રેજ્યુએશન પછી વકીલ બની શકો છો, જાણો સમગ્ર પ્રક્રિયા
X

વકીલ એ આપણા દેશમાં એક શ્રેષ્ઠ વ્યવસાય માનવામાં આવે છે. લાખો યુવાનો પ્રખ્યાત વકીલ બનવાનું સ્વપ્ન જુએ છે. જો તમે પણ વકીલ બનવાનું સપનું જોતા હોવ અને લોકોના અધિકારો અને ન્યાય માટે લડવા માંગતા હોવ તો તમે 12મા ધોરણ પછી જ આ ક્ષેત્રમાં કરિયર બનાવવાનો પ્રયાસ કરી શકો છો. આ સિવાય જો તમે સ્નાતકની ડિગ્રી મેળવી હોય તો પણ તમે કાયદાનો અભ્યાસ કરી શકો છો. અહીં અમે વકીલ બનવા વિશે કઈ રીતે આગડ વધી શકાય તે માહિતી દ્વારા આગડ વધી શકાય છે.

કાયદાનો અભ્યાસ કરવા માટે તમારે 12મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ. 12મા ધોરણ પછી તમે પાંચ વર્ષના કોર્સમાં એડમિશન લઈ શકો છો. 12મી પછી, તમને BA, LLB, BBA LLB, B.Tech LLB, B.Com LLB અને B.Sc LLBમાં પ્રવેશ આપવામાં આવે છે. આ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષામાં ભાગ લેવો પડે છે. પાંચ વર્ષના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે, તમારે CLAT, LSAT India, AILET અથવા SET માટે હાજર રહેવું પડશે.

ત્રણ વર્ષની , LLB માટેની આ લાયકાત :-

જો તમે 12મું પૂર્ણ કરી લીધું હોય અને ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા જઈ રહ્યા હોવ તો પણ તમે કાયદાનો અભ્યાસ કરી શકો છો. સ્નાતક થયા પછી તમે એલએલબીના ત્રણ વર્ષના કોર્સમાં એડમિશન લઈ શકો છો. LLB કોર્સમાં પ્રવેશ માટે, તમે LSAT India, DU LLB, MHT CET અથવા BHU LLB જેવી પ્રવેશ પરીક્ષાઓમાં ભાગ લઈ શકો છો.

આ બધા ઉપરાંત, ઘણી ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓ પણ ડાયરેક્ટ મોડ અથવા યુનિવર્સિટી સ્તરની પ્રવેશ પરીક્ષા દ્વારા આ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રદાન કરે છે. જો તમે ઉપરોક્ત પરીક્ષાઓમાં સફળ ન થયા હોવ તો પણ, તમે ડાયરેક્ટ મોડ અથવા યુનિવર્સિટી કક્ષાએ હાથ ધરવામાં આવતી પ્રક્રિયા દ્વારા પ્રવેશ લઈ શકો છો.

Next Story