ફિલ્મ પુષ્પા પછી અલ્લુ અર્જુન અને સમંથા ફરી એકવાર સાથે આવી શકે છે, જોવા મળશે નવો અવતાર !
આગામી ફિલ્મને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
ગયા વર્ષે રિલીઝ થયેલી શાહરૂખ ખાન સ્ટારર જવાનની સફળતા બાદ દિગ્દર્શક અટલી કુમારે દેશભરમાં લોકપ્રિયતા મેળવી હતી. જો કે તે પછી તેણે તેની આગામી ફિલ્મને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
જવાન દ્વારા મળેલી લોકપ્રિયતા અને સફળતાને આગળ વધારવાનો તેમનો પ્રયાસ છે. આ ક્રમમાં, તેની આગામી ફિલ્મને લઈને ઘણી અટકળો પ્રકાશમાં આવી હતી. જેમાં ક્યારેક શાહરૂખ, ક્યારેક સલમાન ખાન તો ક્યારેક રણબીર કપૂર તેની આગામી ફિલ્મમાં કામ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે અટલી કુમાર તેની આગામી ફિલ્મ કોઈ હિન્દી સિનેમા સ્ટાર સાથે નહીં, પરંતુ પુષ્પા ફેમ અભિનેતા અલ્લુ અર્જુન સાથે બનાવી રહ્યા છે. સાઉથ અભિનેતા અલ્લુ અર્જુન હાલમાં અભિનેત્રી રશ્મિકા મંદન્ના સાથે પુષ્પાની સિક્વલ પુષ્પાઃ ધ રૂલના શૂટિંગમાં વ્યસ્ત છે.
આ દરમિયાન તેણે એટલીની ફિલ્મને પણ મંજૂરી આપી દીધી છે. બંને વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી વાતચીત ચાલી રહી છે. એટલું જ નહીં,આ ફિલ્મ માટે અભિનેત્રી સામંથા રૂથ પ્રભુનો પણ સંપર્ક કર્યો છે. એટલી બંને કલાકારો સાથે મોટા પાયે સમગ્ર ભારતમાં ફિલ્મ બનાવવાની યોજના ધરાવે છે.
માહિતી પ્રમાણે અભિનેત્રી સામંથા એ પણ આ ફિલ્મમાં રસ દાખવ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ કરવાની યોજના ધરાવે છે.