અમિતાભ બચ્ચને રામનગરી અયોધ્યામાં 2 વીઘા જમીન ખરીદી, હરિવંશ રાય બચ્ચન મેમોરિયલની સ્થાપના કરશે

એક્ટર અમિતાભ બચ્ચને રામનગરી અયોધ્યામાં 2 વીઘા (લગભગ 5,069 ચોરસ મીટર) જમીન ખરીદી છે. તેની કિંમત ૮૬ લાખ રૂપિયાથી વધુ છે. આ જમીન મુંબઈ સ્થિત ડેવલપર

New Update
amita
એક્ટર અમિતાભ બચ્ચને રામનગરી અયોધ્યામાં 2 વીઘા (લગભગ 5,069 ચોરસ મીટર) જમીન ખરીદી છે. તેની કિંમત ૮૬ લાખ રૂપિયાથી વધુ છે. આ જમીન મુંબઈ સ્થિત ડેવલપર 'ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા' પાસેથી હરિવંશ રાય બચ્ચન મેમોરિયલ ટ્રસ્ટના નામે ખરીદવામાં આવી છે.મુંબઈના રાજેશ ઋષિકેશે 31 જાન્યુઆરીએ સદર ઓફિસમાં નોંધણી કરાવી.

એવી ચર્ચા છે કે એક્ટરે આ જમીન પર હરિવંશ રાય બચ્ચન મેમોરિયલ ટ્રસ્ટ બનાવશે. અમિતાભ બચ્ચનનો આ પ્લોટ તિહુરા માંઝામાં આવેલો છે, જ્યાંથી રામ મંદિરનું અંતર 7 કિલોમીટર છે. એટલે કે અહીંથી મંદિર પહોંચવામાં તેમને ફક્ત ૧૫-૨૦ મિનિટ લાગશે.
આ પહેલા, 9 ફેબ્રુઆરી, 2024 ના રોજ, અમિતાભ બચ્ચન રામલલાના દર્શન કરવા આવ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે 'હવે હું અયોધ્યા આવતો-જતો રહીશ. હું હંમેશા ગંગા કિનારે રહેતો છોકરો છું.'