બોલિવૂડ એક્ટર શાહરુખ ખાને પુત્ર આર્યનની ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ સિરીઝની જાહેરાત કરી !

બોલિવૂડ એક્ટર શાહરુખ ખાને પુત્ર આર્યનની ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ સિરીઝની જાહેરાત કરી છે, જે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. તેનું પ્રોડક્શન ગૌરી ખાને કર્યું છે,

New Update
arayan
બોલિવૂડ એક્ટર શાહરુખ ખાને પુત્ર આર્યનની ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ સિરીઝની જાહેરાત કરી છે, જે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. તેનું પ્રોડક્શન ગૌરી ખાને કર્યું છે, જેની સ્ટોરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. રેડ ચિલીઝ અને નેટફ્લિક્સે આ સિરીઝ માટે હાથ મિલાવ્યા છે અને લોસ એન્જલસમાં એક કાર્યક્રમમાં તેની જાહેરાત કરી છે. તેના પર કંગના રનૌતનું રિએક્શન પણ સામે આવ્યું છે.આર્યન ખાનના ડાયરેક્શનમાં બનેલી સિરીઝ 'સ્ટારડમ' 2025માં રિલીઝ થશે.
આ સ્ટોરી કિંગ ખાનના પુત્ર દ્વારા જ લખવામાં આવી છે. OTT પ્લેટફોર્મથી લઈને સોશિયલ મીડિયા પર શાહરુખે આ જાણકારી આપી છે. તેણે પોતાની લાગણી વ્યક્ત કરતા લખ્યું કે - આ એક ખાસ દિવસ છે, કારણ કે દર્શકો માટે એક નવી સ્ટોરી રજૂ કરવામાં આવી રહી છે. આજનો દિવસ વધુ ખાસ છે કારણ કે રેડ ચિલીઝ અને આર્યન ખાને નેટફ્લિક્સ પર તેમની નવી સિરીઝ બતાવવા માટે તેમની નવી સફર શરૂ કરી છે.
Latest Stories
Read the Next Article

જેઠાલાલ-બબીતાજી શોમાંથી ગાયબ, અન્ય કાસ્ટની હાલત ખરાબ ! તારક મહેતામાં એવું તો શું થયું?

ગોકુલધામ સોસાયટીના લોકો પિકનિક માટે બંગલામાં ગયા છે, જ્યાં ભૂતનો પડછાયો છે. મુનમુન દત્તા અને દિલીપ જોશી આ દિવસોમાં શોમાંથી ગાયબ છે.

New Update
tmkoc

ગોકુલધામ સોસાયટીના લોકો પિકનિક માટે બંગલામાં ગયા છે, જ્યાં ભૂતનો પડછાયો છે. મુનમુન દત્તા અને દિલીપ જોશી આ દિવસોમાં શોમાંથી ગાયબ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજકાલ ખૂબ ચર્ચામાં છે. શોમાં ફરી એકવાર એક ભયાનક સ્ટોરી જોવા મળી રહી છે. ગોકુલધામ સોસાયટીના લોકો પિકનિક માટે બંગલામાં ગયા છે, જ્યાં ભૂતનો પડછાયો છે. મુનમુન દત્તા અને દિલીપ જોશી આ દિવસોમાં શોમાંથી ગાયબ છે.

શોમાં દેખાડ્યા મુજબ જેઠાલાલ તેમના વ્યવસાયિક સંગઠનના લોકો સાથે ફરવા ગયા છે. જ્યારે બબીતાજી અને ઐયર મહાબળેશ્વર ગયા હતા. ડોક્ટર હાથી અને તેમની પત્ની અને ગોકુલધામ સોસાયટી અન્ય લોકો પિકનિક પર ગયા હોવાનું જોવા મળી રહ્યા છે. આ દરમિયાન બધા જોવા મળી રહ્યા છે પણ બબીતાજી અને જેઠા લાલ આ દરમિયાન શોમાં દેખાયા જ નથી.

બાકીના બધા લોકો પિકનિક માટે ગયા છે તે બંગલો તારક મહેતાના બોસનો છે. આ બંગલામાં ભૂતનો પડછાયો છે. ગોકુલધામ સોસાયટીને આ વાતની ખબર નથી. બધાએ બંગલામાં એક રાત વિતાવી છે. રાત્રે આત્મારામ ભીડેને એક ભૂત દેખાય છે. છત પર ભૂત જોઈને આત્મારામ ભીડે ડરી જાય છે. તે તેની પત્ની માધવીને આ વાત કહે છે.

જોકે, માધવી આ વાત માનતી નથી અને ભીડેને સૂવડાવી દે છે. બીજા દિવસે, ભીડેની ડરને કારણે હાલત ખરાબ થઈ જાય છે. તે બધાને ભૂત વિશે કહે છે. કેટલાક લોકો ટેન્શનમાં આવી જાય છે. જોકે, તારક મહેતા તેમને સમજાવે છે કે ભૂત જેવું કંઈ નથી. હવે આવનારા દિવસોમાં જોવા મળશે કે ગોકુલધામ સોસાયટી આ ખરેખર ભૂત છે કે પછી ભૂત બનીને રહેતુ કઈ વ્યક્તિ તે જોવુ રહ્યું. પણ આ દરમિયાન બબીતાજી અને જેઠાલાલ આખા એપિસોડમાં નહીં જોવા મળ્યા.

 

Latest Stories