દિલજીત દોસાંઝ નવા વર્ષની ઉજવણી લુધિયાણામાં કરશે, લાઈવ કોન્સર્ટ યોજાશે !

પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ નવા વર્ષ 2025ની ઉજવણી કરવા લુધિયાણા પહોંચી રહ્યા છે. 31 ડિસેમ્બરે લુધિયાણામાં દિલજીત દોસાંઝનો લાઈવ કોન્સર્ટ

New Update
IMG-20241224-WA0216

IMG-20241224-WA0216 Photograph: (IMG-20241224-WA0216)

પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ નવા વર્ષ 2025ની ઉજવણી કરવા લુધિયાણા પહોંચી રહ્યા છે. 31 ડિસેમ્બરે લુધિયાણામાં દિલજીત દોસાંઝનો લાઈવ કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે.

દિલજીતે પોતે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. દિલજીતે લુધિયાણામાં તેના કોન્સર્ટની જાહેરાત કરતાની સાથે જ હરિયાણા, યુપી, ચંદીગઢ, રાજસ્થાન સહિત પંજાબમાં તેના ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.દિલજીત દોસાંઝના લુધિયાણા કોન્સર્ટ માટે આજથી ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયું છે. ઝોમેટો લાઈવ પર બુકિંગ શરૂ થતાં જ તેમના સમર્થકો અને ચાહકોએ ટિકિટ બુક કરવાનું શરૂ કરી દીધું હતું. આ પહેલા 29 ડિસેમ્બરે ગુવાહાટીમાં દિલજીતનો કોન્સર્ટ યોજાશે

Latest Stories