/connect-gujarat/media/media_files/2025/03/20/RvzILVyHbz9YM0v7KDEA.jpg)
મુંબઈ ઈન્ડિયન્સ IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચમાં હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવ મુંબઈની કેપ્ટનશીપ કરશે.હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગયા સિઝનમાં MIની છેલ્લી મેચમાં ધીમા ઓવર રેટને કારણે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ સિઝનમાં મુંબઈ ટીમની પહેલી મેચમાં આનો અમલ કરવામાં આવ્યો છે.
જો કે, આગામી મેચથી પંડ્યા ફરીથી ટીમની કમાન સંભાળશે. તેમજ, ફાસ્ટર જસપ્રીત બુમરાહ લીગની શરૂઆતની મેચો રમશે નહીં.મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ મહેલા જયવર્ધનેએ જસપ્રીત બુમરાહની ગેરહાજરીને ટીમ માટે પડકાર ગણાવી છે.સૂર્યાને કેપ્ટનશીપ સોંપવાની આ માહિતી હાર્દિકે પોતે આપી છે. બુધવારે તેમણે હેડ કોચ મહેલા જયવર્ધને સાથે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.આ દરમિયાન, પંડ્યાએ કહ્યું કે, સૂર્યા હાલમાં ભારતીય T20 ટીમનો કેપ્ટન છે. આવી સ્થિતિમાં, મારી ગેરહાજરીમાં કેપ્ટનશીપ માટે તે યોગ્ય ઉમેદવાર છે.