Connect Gujarat
મનોરંજન 

OMG 2 ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી નથી મળી લીલી ઝંડી, શું OMG 2 માં બદલાશે મહાદેવનું પાત્ર?

OMG 2 ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી નથી મળી લીલી ઝંડી, શું OMG 2 માં બદલાશે મહાદેવનું પાત્ર?
X

અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ OMG 2 રિલીઝ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. નિર્માતાઓએ 11 ઓગસ્ટની રિલીઝ ડેટ રાખી છે પણ જણાવી દઈએ કે હજુ સુધી ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી જ લીલી ઝંડી મળી નથી. એક તરફ જ્યાં સેન્સર બોર્ડ કોઈપણ પ્રકારની ઢીલ નથી રાખવા માંગતુ તો બીજી તરફ નિર્માતાઓ પણ પીછેહઠ કરવા તૈયાર નથી.

એક રિપોર્ટ અનુસાર CBFC ઈચ્છે છે કે મેકર્સ અક્ષય કુમારને ફિલ્મમાં શિવના રૂપમાં બતાવવાને બદલે શિવના દૂત કે મેસેન્જર તરીકે બતાવે. અક્ષય કુમારની ફિલ્મના કેટલાક સીન પહેલાથી જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકોએ મહાદેવના નદીમાંથી બહાર આવવા અને ટ્રેન પાસે નળ નીચે બેસીને સ્નાન કરવા જેવા દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો છે.

કેટલાક અહેવાલો અનુસાર સેન્સર બોર્ડ એ વાત પર અડગ છે કે કાં તો અક્ષય કુમારનું પાત્ર બદલવું જોઈએ અથવા તેને શિવના દૂત તરીકે દર્શાવવામાં આવે. જો કે હજી સુધી આ અહેવાલો પર નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત આવી નથી.

Next Story