'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' ફરીવાર વિવાદમાં, કૃષ્ણા અભિષેકે રવીન્દ્રનાથ ટાગોર પર કરી ટિપ્પણી

કૃષ્ણા અભિષેક 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના એક એપિસોડમાં રવીન્દ્રનાથ ટાગોર પર ટિપ્પણી કરવાને કારણે વિવાદમાં આવ્યો છે. બંગાળી લેખક શ્રીજાતો બંદ્યોપાધ્યાયે કૃષ્ણા

New Update
ravidra nath

કૃષ્ણા અભિષેક 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના એક એપિસોડમાં રવીન્દ્રનાથ ટાગોર પર ટિપ્પણી કરવાને કારણે વિવાદમાં આવ્યો છે. બંગાળી લેખક શ્રીજાતો બંદ્યોપાધ્યાયે કૃષ્ણા પર ટાગોરની મજાક ઉડાવવાનો આરોપ મૂક્યો હતો. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને તેણે કૃષ્ણા પાસે માફીની માગી કરી છે. એપિસોડમાં કોમેડી કરતી વખતે, કૃષ્ણા અભિષેકે 'એકલા ચલો રે'ની જગ્યાએ 'પચલા ચલો રે' કહ્યું હતું, જેના પછી બંગાળી સમાજના લોકો શોના મેકર્સથી ખૂબ નારાજ છે.

બંગાળી લેખક શ્રીજાતો બંદ્યોપાધ્યાયે તેમના ફેસબુક હેન્ડલ પર કૃષ્ણા અભિષેકની ટીકા કરતી એક લાંબી નોંધ લખી છે. તેણે લખ્યું, કોમેડી અને મજાક વચ્ચેનો તફાવત એક પાતળી રેખા છે, જેને પાર કરવી ક્યારેક ખતરનાક સાબિત થઈ શકે છે. ઘણીવાર, લોકો કોની મજાક કરી રહ્યા છે તેના પર ધ્યાન આપતા નથી. ઉચ્ચ રેટિંગ્સ મેળવવા અને લોકોને હસાવવાની તેમની શોધમાં, તેઓ ભૂલી જાય છે કે રેખા ક્યાં દોરવી.શ્રીજાતો બંદ્યોપાધ્યાયે વધુમાં જણાવ્યું હતું કે, મારી દૃષ્ટિએ કૃષ્ણ અભિષેક દ્વારા 'એકલા ચોલો રે' ગીત સાથે કરવામાં આવેલ અભિનય આદર અને નમ્રતાના સ્તરથી ઘણો નીચે ગયો છે. મને ખાતરી છે કે તેઓ ગાલિબ, કબીર કે પ્રેમચંદ પર આવા ક્રૂર જોક્સ બનાવવાની હિંમત નહીં કરે, કારણ કે જો તેઓ આમ કરશે તો બીજા દિવસે શો બંધ કરવાની ફરજ પડશે.

Read the Next Article

અક્ષયની કેસરી ટુ ફિલ્મ સામે પશ્ચિમ બંગાળમાં તૃણમૂળની એફઆઈઆર

પશ્ચિમ બંગાળમાં શાસક પક્ષ તૃણમૂળ કોંગ્રેસ દ્વારા એફઆઈઆર નોંધાવવામાં આવી છે. ફિલ્મમાં પશ્ચિમ બંગાળના સ્વાતંત્ર્ય વીરોને લગતી કેટલીક હકીકતો ખોટી રીતે રજૂ કરવામાં આવી

New Update
kesari2 film

અક્ષય કુમારની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ 'કેસરી ટુ' સામે પશ્ચિમ બંગાળમાં શાસક પક્ષ તૃણમૂળ કોંગ્રેસ દ્વારા એફઆઈઆર નોંધાવવામાં આવી છે. ફિલ્મમાં પશ્ચિમ બંગાળના સ્વાતંત્ર્ય વીરોને લગતી કેટલીક હકીકતો ખોટી રીતે રજૂ કરવામાં આવી હોવાનો આરોપ મૂકાયો છે. 

 ફિલ્મના સાત નિર્માતાઓ સામે બિધાનનગર સાઉથ પોલીીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં આઝાદી આંદોલનના બંગાળના સેનાનીઓ ખુદીરામ બોઝ તથા બારીન્દ્રનાથ ઘોષનો ઉલ્લેખ ખોટી રીતે કરાયો હોવાનું એફઆઈઆરમાં જણાવાયું છે. ખુદીરામ બોઝને ખુદીરામ સિંઘ તથા બારીન્દ્રનાથ ઘોષને બિરેન્દ્ર કુમાર તરીકે દર્શાવાયા છે.

આ રીતે દેશની આઝાદીની લડતમાં બંગાળનાં પ્રદાનને લગતી હકીકતો સાથે ચેડાં કરાયાનો આરોપ મૂકાયો છે.  ફિલ્મમાં આ રીતે કેટલાય ક્રાંતિકારીઓનાં નામ બદલી નાખવામાં આવ્યાં છે.  કરણ જોહરની આ ફિલ્મ 'ધી કેસ ધેટ શૂક ધી એમ્પાયર' પુસ્તકના આધારે બનાવાઈ હતી. ફિલ્મ ગઈ તા. ૧૮મી એપ્રિલે રીલિઝ  કરાઈ હતી. અક્ષય કુમાર ઉપરાંત આર. માધવન તથા અનન્યા પાંડે  સહિતના કલાકારોએ તેમાં ભૂમિકા ભજવી હતી.