વાળમાં એલોવેરા લગાવતા પહેલા જાણો તેના 4 નુકશાન, બધા માટે ફાયદાકારક નથી એલોવેરા....

એલોવેરા લગાવવાથી ખંજવાળની સમસ્યા થઈ શકે છે. એલોવેરાથી ફોલ્લી ફૂંસીની પણ સમસ્યા થઈ શકે છે.

New Update
વાળમાં એલોવેરા લગાવતા પહેલા જાણો તેના 4 નુકશાન, બધા માટે ફાયદાકારક નથી એલોવેરા....

સ્ત્રીની સુંદરતા વાળથી વધે છે. વાળ એ સ્ત્રીનું સૌંદર્યનું ઘરેણું છે. પરંતુ હાલમાં અયોગ્ય ખાન પાન અને લાઈફ સ્ટાઇલના કારણે લોકોને વાળ ખરવાની કે વાળ સંબધિત અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે ઘણા લોકો મોંઘી મોંઘી ટ્રીટમેન્ટ કરાવતા હોય છે જે ખૂબ જ ખર્ચાળ હોય છે. સાથે સાથે આ મોંઘી ટ્રીટમેન્ટમાં વપરાતા કેમિકલ્સ પણ આપણા વાળને નુકશાન કરતાં હોય છે. તો સૌથી બેસ્ટ ઉપાય છે કે તમે ઘરગથ્થું ઉપચાર અજમાવો. તેમાંનું એક છે એલોવેરા. એલોવેરા વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ ઘણી વખત તેનાથી ઘણા લોકોને પરેશાની વેઠવી પડે છે. તો એલોવેરાનો ઉપયોગ કરતાં પહેલા જાની લો તેના ગેરફાયદા...

1. એલોવેરાનો છોડ ઔષધિય ગુણોથી ભરપૂર છે. એલોવેરા સુંદરતા માટે ખૂબ જ ફાયદાકારક છે. સ્કેલ્પ પર એલોવેરા જેલ લગાવવાથી વાળ મજબૂત થાય છે. જોકે તેના કેટલાક નુકશાન પણ છે.

2. એલોવેરાથી વાળને મજબૂતી મળે છે. એલોવેરાની તાસીર ઠંડી છે. જેથી રાતભર માથામાં રહેવાથી શરદી થઈ શકે છે.

3. એલોવેરા લગાવવાથી ખંજવાળની સમસ્યા થઈ શકે છે. એલોવેરાથી ફોલ્લી ફૂંસીની પણ સમસ્યા થઈ શકે છે.

4. વાળ વધુ ઓઇલી હોય તો તેવા લોકોએ એલોવેરા જેલ લગાવવાનું અવોઈડ કરવું જોઈએ. તેનાથી વાળ વધુ ઓઇલી, ચીકણા અને ચીપચીપા બને છે.

Read the Next Article

સરસવ કે આમળા... વાળ માટે કયું તેલ વધુ ફાયદાકારક છે?

વાળને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે, મોટાભાગના લોકો નાળિયેર કે સરસવ અને આમળા તેલનો ઉપયોગ કરે છે. આ બંને તેલ વાળ માટે અલગ અલગ રીતે ફાયદાકારક છે

New Update
Hair Oil

વાળને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે, મોટાભાગના લોકો નાળિયેર કે સરસવ અને આમળા તેલનો ઉપયોગ કરે છે. આ બંને તેલ વાળ માટે અલગ અલગ રીતે ફાયદાકારક છે. ચાલો જાણીએ કે આ બેમાંથી કયું તેલ તમારા માટે વધુ સારું રહેશે.

sarso oil

સરસવના તેલમાં વિટામિન ઇ, એન્ટીઑકિસડન્ટ્સ, ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ જેવા પોષક તત્વો હોય છે. આ વાળ માટે ખૂબ ફાયદાકારક છે. સરસવનું તેલ વાળને મજબૂત અને કાળા બનાવવામાં, વાળના વિકાસમાં અને ખોડો ઘટાડવામાં મદદ કરે છે.આમળામાં વિટામિન સી અને ઘણા પોષક તત્વો હોય છે, જે ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે. વાળ પર આમળાનું તેલ લગાવવાથી વાળ કાળા અને મજબૂત બને છે, વાળનો વિકાસ થાય છે અને ખોડો ઓછો થાય છે.

amla oil

સરસવ અને આમળા બંને તેલ વાળ માટે ખૂબ ફાયદાકારક છે. સરસવનું તેલ વાળને ભેજ આપે છે, રક્ત પરિભ્રમણ સુધારે છે અને વાળને સુકાતા અટકાવે છે. આમળાનું તેલ ખોપરી ઉપરની ચામડીને ઠંડુ કરવામાં, વૃદ્ધિ માટે અને તેમને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તમે તેનો ઉપયોગ તમારી પસંદગી મુજબ કરી શકો છો.
આ બંને તેલનો મિશ્રણમાં પણ ઉપયોગ કરી શકાય છે. 2 ચમચી સરસવનું તેલ અને 1 ચમચી આમળાનું તેલ મિક્સ કરીને વાળમાં લગાવો. આનાથી વાળ ખરતા અટકાવવામાં, તેમને કાળા કરવામાં અને ખોડો ઓછો કરવામાં મદદ મળી શકે છે.

Latest Stories