Connect Gujarat
ફેશન

ચહેરાની કરચલીઓ અને ડાઘ ધબ્બા હટાવશે આ 1 પાણી, કોરિયન અને જાપાનીઝ લોકો પણ અપનાવે છે આ નુસખો....

ચોખાના પાણીથી તમારા ચહેરાને સાફ કરવાથી તમારા ચહેરાની તમામ કરચલીઓ ઘટવા લાગશે.

ચહેરાની કરચલીઓ અને ડાઘ ધબ્બા હટાવશે આ 1 પાણી, કોરિયન અને જાપાનીઝ લોકો પણ અપનાવે છે આ નુસખો....
X

ચહેરો ત્યારે જ સુંદર લાગે છે જ્યારે તે બેદાગ અને કરચલીઓ સહિત હોય. લટકતી સ્કીન કોઈને પસંદ નથી હોતી. પરંતુ આજ કાલ ખરાબ ખાન પાનના કારણે અને દૂષિત પાણીના કારણે પણ લોકો સ્કિનની સમસ્યાથી પરેશાન થતાં હોય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે વિટામિન સી અને વિટામિન ઇ યુક્ત ફૂડનું સેવન કરો. આ સિવાય તમે ચોખાના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો અને ચહેરાને સાફ રાખી શકો છો. આ નુસખો તમારા જૂના સમયના નાની દાદીના સમયથી ચાલતો આવે છે. તો જાણો ચોખાનું પાણી તમને કઈ કઈ રીતે ફાયદો અપાવશે.

· ચોખાના પાણીથી તમારા ચહેરાને સાફ કરવાથી તમારા ચહેરાની તમામ કરચલીઓ ઘટવા લાગશે. તેનાથી લટકતી સ્કીન ટાઈટ બને છે. તેમાં એંટીઓક્સિડેંટ્સ હોય છે જે તમારી ઉંમરના લક્ષણોને દૂર કરે છે.

· જો તમે કાચા ચોખાના પાણીથી ફેસ વોશ કરો છો તો તમે સ્કીન પરના પિંપલ્સના નિશાનને જલ્દીથી ગાયબ કરી શકો છો. આ નુસખો કોરિયન અને જાપાનીઝ લોકો વધુ યુઝ કરે છે.

· ચોખાના પાણીનો ઉપયોગ ફેસવોશ સાબુમાં પણ કરી શકાય છે. તેના કારણે ચહેરા પર નિખાર આવે છે. તેનાથી એંટીએજિંગ સાઇન પણ ઓછા થવા લાગે છે. ચોખાના પાણીનો ઉપયોગ ઓઇલી સ્કીન માટે કરવો જોઈએ. આ સ્કીન માટે વરદાન સમાન છે.

· જો તમે સૂતા પહેલા રોજ સ્કિનને ચોખાના પાણીથી મસાજ કરો છો તો ઓપન પોર્સ ઘટવા લાગે છે. સ્કીન પર કરચલીઓ રહેતી નથી અને એજિંગ સાઇન પણ ઘટવા લાગે છે. આ એક બેસ્ટ ટોનરનું કામ કરે છે.

Next Story