Connect Gujarat
Featured

અમરનાથ યાત્રા દરમિયાન બિહારના એક શ્રદ્ધાળુનું 300 ફૂટ નીચે ખીણમાં ખાબકતાં થયું મોત

અમરનાથ યાત્રા દરમિયાન બિહારના એક શ્રદ્ધાળુનું 300 ફૂટ નીચે ખીણમાં ખાબકતાં થયું મોત
X

અમરનાથ યાત્રા દરમિયાન બિહારના એક શ્રદ્ધાળુનું મોત થયું છે. પવિત્ર અમરનાથ ગુફામાંથી પરત ફરતી વખતે શુક્રવારે મોડી રાત્રે 50 વર્ષીય તીર્થયાત્રીનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આ તરફ ઘટનાને લઈ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, મૃતક કાલીમાતા પાસે ફસાઈ ગયા બાદ 300 ફૂટ નીચે પડી ગયા હતા.

પવિત્ર અમરનાથ ગુફામાંથી પરત ફરતી વખતે શુક્રવારે મધરાત્રે 50 વર્ષીય તીર્થયાત્રીનું મૃત્યુ થયું છે. જોકે તીર્થયાત્રીને પર્વત બચાવ ટીમ અને સેના દ્વારા સંયુક્ત રીતે બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ પાછળથી તેમનું મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ વિજય કુમાર શાહ તરીકે થઈ છે. પ્રાથમિક વિગતો મુજબ તે બિહારના રોહતાસ જિલ્લાના તુમ્બા ગામનો રહેવાસી હતા.

Next Story