અરબ સાગરમાં સક્રિય થયેલા 'શક્તિ' વાવાઝોડાને લઈને ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી મહત્ત્વની આગાહી

અરબ સાગરમાં સક્રિય થયેલા 'શક્તિ' વાવાઝોડાને લઈને ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્ત્વની આગાહી કરી છે. તેમના મતે, આ વાવાઝોડું ગુજરાતથી 552 કિલોમીટર

New Update
skti

અરબ સાગરમાં સક્રિય થયેલા 'શક્તિ' વાવાઝોડાને લઈને ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્ત્વની આગાહી કરી છે.

તેમના મતે, આ વાવાઝોડું ગુજરાતથી 552 કિલોમીટર દૂર છે અને હાલમાં તે પશ્ચિમ દિશામાં સતત આગળ વધી રહ્યું હોવાથી ગુજરાત પર તેના સીધા લેન્ડફોલનો ખતરો 99% જેટલો ઓછો છે. જોકે, આ સિસ્ટમના કારણે 7, 8 અને 9 ઓક્ટોબર દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, જ્યારે આ દરમિયાન પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે. ગોસ્વામીએ ગુજરાતના નાગરિકોને આ વાવાઝોડાને લઈને ગભરાટ ન ફેલાવવા અને ગભરાવવું નહીં તેવી અપીલ કરી છે.

'શક્તિ' વાવાઝોડાનો સંભવિત માર્ગ અને ગુજરાત પરની અસર

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાંથી આવેલી અને 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન વરસાદ લાવનાર સિસ્ટમ જ અરબ સાગરમાં પ્રવેશી છે. અરબ સાગરનું ઊંચું તાપમાન અને અનુકૂળ હવામાન મળતાં આ સિસ્ટમ મજબૂત બનીને સાયક્લોનમાં પરિવર્તિત થઈ છે, જેને શ્રીલંકા દ્વારા 'શક્તિ' નામ આપવામાં આવ્યું છે.

ગુજરાત તરફ યુ-ટર્નની શક્યતા: વાવાઝોડું હાલમાં ગુજરાતથી 552 કિલોમીટર દૂર છે અને પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. જોકે, ગુજરાત ઉપર એક ટ્રફ રેખા બનવાની અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાની શક્યતા છે, જેના કારણે આ સાયક્લોન ફરીથી ગુજરાત તરફ યુ-ટર્ન લઈ શકે છે. ગોસ્વામીના મતે, આ યુ-ટર્ન ઓમાનથી લગભગ 300 કિલોમીટર દૂર હશે. જોકે, આ યુ-ટર્ન વખતે વાવાઝોડું ઘણું બધું નબળું પડી જશે અને આગળનું હવામાન અનુકૂળ ન હોવાથી તે ગુજરાત સુધી પહોંચતા પહેલાં જ દરિયામાં વિખાઈ જાય તેવી શક્યતાઓ છે. આથી, ગુજરાત ઉપર લેન્ડફોલ થવાની શક્યતા 99% જેટલી ઓછી છે.

Latest Stories