પાકિસ્તાન ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું, પાંચ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા

પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત પહેલાં પાકિસ્તાન ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું છે. શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2025 ના રોજ, ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર

New Update
pakistan bumb

પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત પહેલાં પાકિસ્તાન ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું છે. શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2025 ના રોજ, ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક મસ્જિદમાં ભયાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં પાંચ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલાએ સમગ્ર પાકિસ્તાનમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ કરૂણ ઘટના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અક્કોરા ખટ્ટક જિલ્લામાં સ્થિત જામિયા હક્કાનિયા સેમિનારીની મસ્જિદમાં બની હતી. જિલ્લા પોલીસ વડા અબ્દુલ રશીદે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરાવી છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ પ્રારંભિક તપાસમાં આ આત્મઘાતી હુમલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, વિસ્ફોટ જામિયા હક્કાનિયા સેમિનારીના સંકુલમાં થયો હતો, જ્યાં અંદાજે 4,000 વિદ્યાર્થીઓ રહે છે અને મફત ભોજન તેમજ શિક્ષણ મેળવે છે. કેપી આઈજી ઝુલ્ફીકાર હમીદે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં આત્મઘાતી હુમલાના સંકેતો મળ્યા છે અને મૌલાના હમીદુલ હક હક્કાની હુમલાખોરોના નિશાના પર હોઈ શકે છે.

Read the Next Article

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની કરાઇ બદલી

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

New Update
રાજયમાં આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  

આ બદલીઓમાં પ્રથમ નામ  અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 

જ્યારે  એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની કમિશનર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.  

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી કરાઈ છે.  એમ. થેન્નારસન નવા શહેરી વિકાસ સચિવ બન્યા છે.  રમેશ મીણા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ બન્યા છે.  મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા છે.  આરતી કંવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો છે.  તેજસ પરમાર જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા છે.  

રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમમાં એમડી બન્યા છે.  ઓમ પ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બન્યા છે.  નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક કરવામાં આવી છે. 

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ  તોરવાણે, IAS ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે.

Latest Stories