Home > Featured > પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીનો આરોપ,ઉત્તરપ્રદેશમાં અલ્પસંખ્યકોને મતદાન કરતા રોકવામાં આવ્યા
પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીનો આરોપ,ઉત્તરપ્રદેશમાં અલ્પસંખ્યકોને મતદાન કરતા રોકવામાં આવ્યા
BY Connect Gujarat Desk9 May 2024 3:28 AM GMT
X
Connect Gujarat Desk9 May 2024 3:28 AM GMT
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે ત્રીજા તબક્કા દરમિયાન યુપીમાં લઘુમતીઓને મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા. તેમણે મંગળવારે પુરુલિયામાં એક સભાને સંબોધતા આ વાત કહી. મમતાએ એમ પણ કહ્યું કે આદર્શ આચાર સંહિતા બદલીને મોદી આચાર સંહિતા કરવામાં આવી છે. તેઓ માત્ર ભાજપને સમર્થન આપી રહ્યા છે.
બીજી તરફ બીજેપી નેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અત્યાર સુધી હું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે જ ચૂંટણી લડતી હતી, પરંતુ હવે પાકિસ્તાનના એક નેતાએ કહ્યું છે કે સ્મૃતિ ઈરાનીને હરાવી જોઈએ. પાકિસ્તાનના એક નેતા અમેઠીની ચૂંટણીમાં રસ લઈ રહ્યા છે. આજે મારે પૂછવું છે કે રાહુલજીના પાકિસ્તાન સાથેના સંબંધોને શું કહેવાય?
Next Story