GST એક પ્રકારનું ટેક્સ ટેરેરિઝમ, પૂર્વ પીએમ મનમોહનસિંહ

પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંઘે પીએમ મોદીનાં આક્ષેપોનો આપ્યો જવાબ
New Update

સુરતમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. GST મુદ્દે મનમોહનસિંહે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.અને GSTને તેઓએ એક પ્રકારનું ટેક્સ ટેરેરિઝમ ગણાવ્યુ હતુ.

મનમોહનસિંહે સુરતની મુલાકાત દરમિયાન વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં તેમણે GST અને નોટબંધીથી થઈ રહેલી મશ્કેલીઓ વિશે ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર પણ કર્યા હતા.

સુરતમાં મનમોહનસિંહે વેપારીઓ સાથેનાં સંવાદમાં જણાવ્યુ હતુ કે ભાજપ સરકારે GST યોગ્ય રીતે લાગુ કરાયો નથી, જેના કારણે સુરતનાં કાપડ ઉદ્યોગને મોટુ નુકશાન થયું હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.વધુમાં મનમોહનસિંહે લુમ્સના મશીનો ભંગારમાં વેચવા પડી રહ્યા હોવાનું પણ જણાવ્યુ હતુ.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article