અરવલ્લી: માલપુર તાલુકાના અણિયોર ગામે પીપળાનું વૃક્ષ નોંતરશે અકસ્માત! ગ્રામજનોમા રોષ

અરાવલી જિલ્લાના અણિયોર ગામે પીપળાનું વૃક્ષ અડચણરૂપ, પીપળાનું વૃક્ષ અકસ્માત નોંતરે એવી શક્યતા.

New Update
અરવલ્લી: માલપુર તાલુકાના અણિયોર ગામે પીપળાનું વૃક્ષ નોંતરશે અકસ્માત! ગ્રામજનોમા રોષ

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અણિયોર ગામની વચ્ચે આવેલ પીપળાના કારણે અકસ્માતની શક્યતા સેવાય રહી છે.

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અણિયોર ગામની વચ્ચોવચ રસ્તા ઉપર જ આશરે 100 વર્ષ જૂનો પીપળો આવેલો છે. આ પીપળો સાવ બોદાઈ ગયેલો છે ક્યારે પડે એ નક્કી નથી પીપળાના વચ્ચેથી વિદ્યુત બોર્ડની લાઈન પસાર થાય છે અને પીપળાની નીચેથી ગામનો મુખ્ય રસ્તો પસાર થાય છે.ગામમાં હાઈસ્કૂલ પણ આવેલી છે.

આશરે 700 બાળકો અને ગામ લોકો આ રસ્તેથી પસાર થાય છે ત્યારે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો એના માટે જવાબદાર કોણ એ પ્રશ્ન સર્જાય રહયો છે. આ અંગે ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેઓ દ્વારા આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી એમ છતા પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી.

Latest Stories