/connect-gujarat/media/post_banners/8dad8f06497639c8397e3d234e8232b7467f89ce75822f3511df34d9a44a8fc9.webp)
ગુજરાતમાં ચૂંટણી પહેલાં અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે. તાજેતરમાં જ રાજ્યમાં 76 DySPની બદલી કરાઇ હતી. એ સિવાય 24 DEO-DPEOની બદલી કરી દેવાઈ હતી. પરંતુ કેન્દ્રીય ચૂંટણી પંચે IAS અને IPSની બદલીઓને લઈને રાજ્ય સરકારને નોટીસ ફટકારી હતી. તે ઉપરાંત મુખ્ય સચિવ અને રાજ્યના પોલીસ વડા પાસે બદલીઓ અંગે જવાબ માગ્યો હતો. ત્યારે આજે એક સાથે 17 IPSની બદલી કરી દેવામાં આવી છે.રાજકુમારને રેલવેમાં ડે.જનરલ ઓફ પોલીસ બનાવાયા છે. તેમજ JCP અજય ચૌધરીની સ્પેશિયલ બ્રાંચમાં બદલી કરાઈ છે.
17 IPSની એક સાથે બદલી કરવામાં આવી છે. એમાં અમદાવાદના સેક્ટર વન ટુ સહિત ભાવનગર રેન્જ, રાજકોટ રેન્જ અને સુરત રેન્જના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદમાં સેક્ટર વન તરીકે નીરજ બડગુજર અને સેક્ટર 2માં ભરાડાની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ત્રણ અધિકારીઓની બદલી થઈ છે.
બદલી થયેલ 17 IPS અધિકારીઓનું સંપૂર્ણ લિસ્ટ
-ખુરશીદ અહેમદની ગાંધીનગરમાં એડીજીપી પ્લાનિંગ-મોડર્નાઈઝેશન
-રાજકુમાર પાંડિયન બન્યાં રેલવેમાં ડે.જનરલ ઓફ પોલીસ
-અજય ચૌધરીની જેસીપી સ્પેશિયલ બ્રાંચમાં બદલી
-ગૌતમ પરમાર બન્યાં આઈજીપી ભાવનગર રેંજ
-પિયુષ પટેલને સુરત આઈજીપી રેંજ બનાવાયા
-મયંકસિંહ ચાવડાને આજીપી જૂનાગઢ રેંજ બનાવાયા
-સંદીપસિંહની બદલી વડોદરા રેંજ આઈજીપી તરીકે
-ચિરાગ કોરડીયા ડીઆઈજીપી ગોધરા રેંજ બનાવાયા
-ડીએચ પરમાર જેસીપી ટ્રાફિક સુરત
-નિરજ બડગુજર અમદાવાદ સેક્ટર-1 એડિ.કમિશનર
-અશોક યાદવને રાજકોટ રેંજ આઈજી બનાવાયા
-એમ.એસ.ભરાડા એડિ.પોલીસ કમિશનર સેક્ટર 2 અમદાવાદ
-મનોજ નિનામાને વડોદરાના એડિ.પોલીસ કમિશનર
-એજી ચૌહાણ એડિ.કમિશનર ટ્રાફિક પોલીસ સુરત
-સૌરભ તોલંબિયા એડિ.કમિશનર ટ્રાફિક-ક્રાઈમ રાજકોટ
-આર.વી. અસારીને ડીઆઈજી ઈન્ટેલિજન્સ-2 ગાંધીનગર
-કે.એન.ડામોરને એડિ.કમિશનર સુરત સેક્ટર-2