દિવાળી પર 17 IPS અધિકારીઓને મળી બદલીની ભેંટ, જુઓ કોની ક્યાં કરાઇ બદલી

એક સાથે 17 IPSની બદલી કરી દેવામાં આવી છે.રાજકુમારને રેલવેમાં ડે.જનરલ ઓફ પોલીસ બનાવાયા છે.

New Update
દિવાળી પર 17 IPS અધિકારીઓને મળી બદલીની ભેંટ, જુઓ કોની ક્યાં કરાઇ બદલી

ગુજરાતમાં ચૂંટણી પહેલાં અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે. તાજેતરમાં જ રાજ્યમાં 76 DySPની બદલી કરાઇ હતી. એ સિવાય 24 DEO-DPEOની બદલી કરી દેવાઈ હતી. પરંતુ કેન્દ્રીય ચૂંટણી પંચે IAS અને IPSની બદલીઓને લઈને રાજ્ય સરકારને નોટીસ ફટકારી હતી. તે ઉપરાંત મુખ્ય સચિવ અને રાજ્યના પોલીસ વડા પાસે બદલીઓ અંગે જવાબ માગ્યો હતો. ત્યારે આજે એક સાથે 17 IPSની બદલી કરી દેવામાં આવી છે.રાજકુમારને રેલવેમાં ડે.જનરલ ઓફ પોલીસ બનાવાયા છે. તેમજ JCP અજય ચૌધરીની સ્પેશિયલ બ્રાંચમાં બદલી કરાઈ છે.

17 IPSની એક સાથે બદલી કરવામાં આવી છે. એમાં અમદાવાદના સેક્ટર વન ટુ સહિત ભાવનગર રેન્જ, રાજકોટ રેન્જ અને સુરત રેન્જના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદમાં સેક્ટર વન તરીકે નીરજ બડગુજર અને સેક્ટર 2માં ભરાડાની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ત્રણ અધિકારીઓની બદલી થઈ છે.

બદલી થયેલ 17 IPS અધિકારીઓનું સંપૂર્ણ લિસ્ટ

-ખુરશીદ અહેમદની ગાંધીનગરમાં એડીજીપી પ્લાનિંગ-મોડર્નાઈઝેશન

-રાજકુમાર પાંડિયન બન્યાં રેલવેમાં ડે.જનરલ ઓફ પોલીસ

-અજય ચૌધરીની જેસીપી સ્પેશિયલ બ્રાંચમાં બદલી

-ગૌતમ પરમાર બન્યાં આઈજીપી ભાવનગર રેંજ

-પિયુષ પટેલને સુરત આઈજીપી રેંજ બનાવાયા

-મયંકસિંહ ચાવડાને આજીપી જૂનાગઢ રેંજ બનાવાયા

-સંદીપસિંહની બદલી વડોદરા રેંજ આઈજીપી તરીકે

-ચિરાગ કોરડીયા ડીઆઈજીપી ગોધરા રેંજ બનાવાયા

-ડીએચ પરમાર જેસીપી ટ્રાફિક સુરત

-નિરજ બડગુજર અમદાવાદ સેક્ટર-1 એડિ.કમિશનર

-અશોક યાદવને રાજકોટ રેંજ આઈજી બનાવાયા

-એમ.એસ.ભરાડા એડિ.પોલીસ કમિશનર સેક્ટર 2 અમદાવાદ

-મનોજ નિનામાને વડોદરાના એડિ.પોલીસ કમિશનર

-એજી ચૌહાણ એડિ.કમિશનર ટ્રાફિક પોલીસ સુરત

-સૌરભ તોલંબિયા એડિ.કમિશનર ટ્રાફિક-ક્રાઈમ રાજકોટ

-આર.વી. અસારીને ડીઆઈજી ઈન્ટેલિજન્સ-2 ગાંધીનગર

-કે.એન.ડામોરને એડિ.કમિશનર સુરત સેક્ટર-2

Read the Next Article

ભરૂચ : આમોદમાં નેશનલ હાઇવે 64 ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન,વરસાદી પાણીની જમાવટથી ખાબોચિયા છલકાયા

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે

New Update

આમોદમાં ખખડધજ હાઇવેથી લોકો પરેશાન

વરસાદના કારણે હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય

હાઇવે પર ખાડામાં પાણી ભરાતા ખાબોચિયા છલકાય

સગર્ભા મહિલાને પ્રસૂતિમાં પણ પડી મુશ્કેલી

સમારકામ માટે વાહન ચાલકોમાં ઉઠી માંગ

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે. સર્જાયેલ પરિસ્થિતિને કારણે રાહદારીઓહાઇવેને અડીને આવેલા રહેણાંક વિસ્તારો અને દુકાનદારો સહિત લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઇવે 64 વરસાદમાં અત્યંત બિસ્માર બની ગયો છે.જેના કારણે આમોદ નગરની ગર્ભવતી મહિલાની તબિયત લથડતા અને અસહ્ય પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈને  નીકળ્યા હતા,પરંતુ ખખડધજ અને મસમોટા ખાડાઓ અને ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળતા પહેલા જ હાઇવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈને અસહ્ય પીડાઓ સાથે ડીલેવરી થઈ ગઈ હતી. પરિવારના મોભીએ હાઇવે વહીવટી તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત વાહનચાલકો પણ ખરાબ રસ્તા મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે.મોસમના પહેલા વરસાદમાં જ હાઇવે ગાયબ થઈ ગયો છે.અને મસમોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થતા કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની અને ભ્રષ્ટાચારની પોલની ચાડી ખાતા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે. વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઇવેનું પેચિંગવર્ક કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.