સુરતની આ છ બેઠક માટે ભાજપના 182 નેતાઓએ માંગી ટિકિટ, વાંચો કોણે કોણે માંગી ટિકિટ

New Update
સુરતની આ છ બેઠક માટે ભાજપના 182 નેતાઓએ માંગી ટિકિટ, વાંચો કોણે કોણે માંગી ટિકિટ

ગુજરાતમાં હવે ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થવાની સંભાવના છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારી વધુ તેજ બનાવી છે. આમ આદમી પાર્ટી દ્વારા સૌથી પહેલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ અને ભાજપમાં હજુ ઉમેદવારોને લઈને વિચારણા ચાલી રહી છે. જોકે ભાજપની ટિકિટ માટે જે રીતે પડાપડી થઈ રહી છે તે જોઈને નિરીક્ષકો પણ ચોંકી ઉઠયા હતા.

સુરતની છ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીમાં દાવેદારોની લાઇન લાગી ગઈ છે, સેન્સ પ્રક્રિયા દરમિયાન આ છ બેઠક માટે 20-25 નહીં કુલ 182 નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારોમાં જોવા જઈએ તો વર્તમાન ધારાસભ્યોમાંથી ચાર ધારાસભ્યો દ્વારા ટિકિટ માંગવામાં આવી છે જેમાં ઉધનાથી વિવેક પટેલ, વરાછાથી કુમાર કાનાણી, ચોર્યાસીથી ઝંખના પટેલ, કરંજથી પ્રવીણ ઘોઘારીએ ટિકિટ માંગી છે. સુરતની હોટ સીટ ગણાતી મજૂરા પરથી હાલના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને રિપીટ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ મંત્રી વિનુ મોરડીયાએ સમર્થકો મારફત ફરી ટિકિટની માંગ કરી છે.સુરતની ઉધના: 46, મજૂરા: 10, ચોર્યાસી: 58, કતારગામ: 23, વરાછા: 21, કરંજ: 24 

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
Latest Stories