Connect Gujarat
ગુજરાત

ગણેશ વિસર્જનમાં બે જીંદગી ડૂબી! પ્રાંતિજ સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન 2 યુવાનોને કાળ ભરખી ગયો

મૃતક રાવળ જગદીશ મેલાભાઇને બે દિકરીઓ તથા બે દિકરાઓઓએ પિતાની છત્રછાયા ગુમાવી

X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગલતેશ્વર ખાતે આવેલ સાબરમતી નદીમા ગણેશ વિસર્જન કરવા માટે આવેલ બે યુવાનો નદીમા ગરકાવ થતા બન્નેનુ મોત નિપજયુ પ્રાંતિજ ના ગલતેશ્વર ગામ પાસે આવેલ સાબરમતી નદીમા તાજપુર ગામમાંથી ગણેશ વિસર્જન કરવામાટે આવેલ બે યુવાનોનો ગણેશ વિસર્જન દરમ્યાન સાબરમતી નદીમા ડૂબ્યા હતા જેમા તાજપુર ખાતે રહેતા રાવળ જગદીશ મેલાભાઇ ઉ.વર્ષ આશરે-૩૫ તથા તાજપુર મામાના ધરે આવેલ ભાણો અને મુળ ગાંધીનગરના પીપરોજ ગામનો યુવાન મકવાણા રાજેશભાઇ લાલજીભાઈ ઉ.વર્ષ અંદાજે-૨૨ બન્ને જણા ગણેશ વિસર્જન દરમ્યાન પાણીમા ગરકાવ થતા સાથે આવેલ લોકો દ્રારા બુમાબુમ કરતા ગલતેશ્વર ગામના લોકો સહિત આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા તો આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસને કરાતા પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલિક ધટના સ્થળ ઉપર દોડી આવી હતી તો આ અંગેની જાણ પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમને કરતા તેવો પણ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી અને નદીમા શોધખોળ હાથધરી હતી અને બે કલાકની જહેમત બાદ નદી માંથી બન્નેને મૃતક હાલતમા બહાર કાઢવામા આવ્યા હતા તો બન્નેના મોતને લઈને તાજપુર તથા પીપરોજમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ તો મૃતક રાવળ જગદીશ મેલાભાઇને બે દિકરીઓ તથા બે દિકરાઓઓએ પિતાની છત્રછાયા ગુમાવી

Next Story