અમરેલી અને જુનાગઢમાં પાણીમાં ડૂબી જવાથી 2 યુવાનોના મોત, પોલીસ તપાસ શરૂ...

અમરેલીના ટીંબી ગામે નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તો બીજી તરફ, જુનાગઢના ઇન્દ્રેશ્વર ચેક ડેમમાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

New Update
અમરેલી અને જુનાગઢમાં પાણીમાં ડૂબી જવાથી 2 યુવાનોના મોત, પોલીસ તપાસ શરૂ...

પાણીમાં ડૂબવાથી મોત થવાની 2 આલગ અલગ ઘટના

અમરેલીના ટીંબી ગામે નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

જુનાગઢના ઇન્દ્રેશ્વર ચેકડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત

રાજ્યમાં પાણીમાં ડૂબી જવાથી મોત થવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે અમરેલીના ટીંબી ગામે નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તો બીજી તરફ, જુનાગઢના ઇન્દ્રેશ્વર ચેક ડેમમાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે નદીમાંથી મૃત હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ટીંબી ગામ વચ્ચેથી પસાર થતી નદીમાં યુવકનો મૃતદેહ જોતાં જ ઘટના સ્થળે ગ્રામજનોના ટોળેટોળા એકઠા થયા હતા. આ સાથે જ નાગેશ્રી પોલીસ મથકે જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક તપાસ અર્થે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. નાગેશ્રી પોલીસ દ્વારા વધુ અજાણ્યા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

તો બીજી તરફ, પાણીમાંથી મૃતદેહ મળવાનો સિલસિલો જુનાગઢમાં પણ યથાવત રહ્યો છે. જુનાગઢના ઇન્દ્રેશ્વરમાં ચેક ડેમમાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું. જેનો મૃતદેહ ચેક ડેમ નજીક આવેલ ખાડીમાં તરતો જોવા મળતા ગ્રામજનોએ પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરી હતી. બનાવના પગલે ફાયર વિભાગની ટીમે યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતક યુવાન શહેરના ખામધોળ વિસ્તારનો રહેવાસી મિહિર નિમાવત હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, ત્યારે હાલ તો પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.