અમરેલી અને જુનાગઢમાં પાણીમાં ડૂબી જવાથી 2 યુવાનોના મોત, પોલીસ તપાસ શરૂ...

અમરેલીના ટીંબી ગામે નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તો બીજી તરફ, જુનાગઢના ઇન્દ્રેશ્વર ચેક ડેમમાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

New Update
અમરેલી અને જુનાગઢમાં પાણીમાં ડૂબી જવાથી 2 યુવાનોના મોત, પોલીસ તપાસ શરૂ...

પાણીમાં ડૂબવાથી મોત થવાની 2 આલગ અલગ ઘટના

અમરેલીના ટીંબી ગામે નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

જુનાગઢના ઇન્દ્રેશ્વર ચેકડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત

રાજ્યમાં પાણીમાં ડૂબી જવાથી મોત થવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે અમરેલીના ટીંબી ગામે નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તો બીજી તરફ, જુનાગઢના ઇન્દ્રેશ્વર ચેક ડેમમાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે નદીમાંથી મૃત હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ટીંબી ગામ વચ્ચેથી પસાર થતી નદીમાં યુવકનો મૃતદેહ જોતાં જ ઘટના સ્થળે ગ્રામજનોના ટોળેટોળા એકઠા થયા હતા. આ સાથે જ નાગેશ્રી પોલીસ મથકે જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક તપાસ અર્થે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. નાગેશ્રી પોલીસ દ્વારા વધુ અજાણ્યા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

તો બીજી તરફ, પાણીમાંથી મૃતદેહ મળવાનો સિલસિલો જુનાગઢમાં પણ યથાવત રહ્યો છે. જુનાગઢના ઇન્દ્રેશ્વરમાં ચેક ડેમમાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું. જેનો મૃતદેહ ચેક ડેમ નજીક આવેલ ખાડીમાં તરતો જોવા મળતા ગ્રામજનોએ પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરી હતી. બનાવના પગલે ફાયર વિભાગની ટીમે યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતક યુવાન શહેરના ખામધોળ વિસ્તારનો રહેવાસી મિહિર નિમાવત હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, ત્યારે હાલ તો પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

જૂનાગઢ : ગિરનારના અતિ પ્રાચીન અને પૌરાણિક સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિરે જળ અને દુધાભીષેકથી શિવજીને રિઝવતા ભક્તો

ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમાન ભવનાથ મંદિરે આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે દાદાના દર્શન કરીને ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો..

New Update
  • ભવનાથ મહાદેવ મંદિરમાં ભક્તો બન્યા શિવમય

  • પૌરાણિક સ્વયંભૂ ભવનાથમાં ઉમટ્યા ભક્તો

  • શ્રાવણમાં છલકાયો શિવ ભક્તિનો સાગર

  • જળ અને દુધાભીષેકથી શિવને રિઝવાતા ભક્તો

  • ભજન,ભોજન અને ભક્તિનો સર્જાયો ત્રિવેણી સંગમ

જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં આવેલું અતિ પ્રાચીન તેમજ પૌરાણિક સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા,અને શિવજીને જળ તેમજ દુધાભીષેક કરીને થયો દૂધ નો અભિષેક

જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે,ત્યારે ખાસ પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ સોમવારે જ ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે આ પવિત્ર માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ ભવનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી,તેમજ મંદિરના મહંત દ્વારા પૂજા આરતી,દૂધનો અભિષેક તેમજ શિવજીને બીલીપત્ર અર્પણ કરીને દાદાની ભક્તિમાં લીન બન્યા હતા.

ખાસ કરીને ગુજરાત તેમજ અન્ય રાજ્યમાંથી આ સ્વયંભૂ શિવલિંગના દર્શન માટે ભક્તો  આવતા હોય છે.ત્યારે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમાન ભવનાથ મંદિરે આ પવિત્ર માસ નિમિત્તે દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.