અમરેલી અને જુનાગઢમાં પાણીમાં ડૂબી જવાથી 2 યુવાનોના મોત, પોલીસ તપાસ શરૂ...

અમરેલીના ટીંબી ગામે નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તો બીજી તરફ, જુનાગઢના ઇન્દ્રેશ્વર ચેક ડેમમાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

New Update
અમરેલી અને જુનાગઢમાં પાણીમાં ડૂબી જવાથી 2 યુવાનોના મોત, પોલીસ તપાસ શરૂ...

પાણીમાં ડૂબવાથી મોત થવાની 2 આલગ અલગ ઘટના

Advertisment W3.CSS

અમરેલીના ટીંબી ગામે નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

જુનાગઢના ઇન્દ્રેશ્વર ચેકડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત

રાજ્યમાં પાણીમાં ડૂબી જવાથી મોત થવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે અમરેલીના ટીંબી ગામે નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તો બીજી તરફ, જુનાગઢના ઇન્દ્રેશ્વર ચેક ડેમમાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે નદીમાંથી મૃત હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ટીંબી ગામ વચ્ચેથી પસાર થતી નદીમાં યુવકનો મૃતદેહ જોતાં જ ઘટના સ્થળે ગ્રામજનોના ટોળેટોળા એકઠા થયા હતા. આ સાથે જ નાગેશ્રી પોલીસ મથકે જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક તપાસ અર્થે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. નાગેશ્રી પોલીસ દ્વારા વધુ અજાણ્યા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

તો બીજી તરફ, પાણીમાંથી મૃતદેહ મળવાનો સિલસિલો જુનાગઢમાં પણ યથાવત રહ્યો છે. જુનાગઢના ઇન્દ્રેશ્વરમાં ચેક ડેમમાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું. જેનો મૃતદેહ ચેક ડેમ નજીક આવેલ ખાડીમાં તરતો જોવા મળતા ગ્રામજનોએ પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરી હતી. બનાવના પગલે ફાયર વિભાગની ટીમે યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતક યુવાન શહેરના ખામધોળ વિસ્તારનો રહેવાસી મિહિર નિમાવત હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, ત્યારે હાલ તો પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

ગીર સોમનાથ : માણેકપુરમાં પાણીની સમસ્યા,મહિલા સરપંચે બાળકોને પાણી પુરવઠા કચેરીમાં સ્નાન કરાવી ધરણા પર બેઠા

ઉનાના માણેકપુર ગામે 15 દિવસથી પાણી નહીં આવતા ગામના મહિલા સરપંચ પતિ અને બે બાળકો સહિતનો પરિવાર ઉના પાણી પુરવઠા કચેરી ખાતે દોડી આવી કરી રજૂઆત..

New Update
  • માણેકપુરમાં પાણીની ગંભીર સમસ્યા

  • મહિલા સરપંચ દ્વારા કરાઈ રજૂઆત

  • પાણી પુરવઠા કચેરીમાં કરી રજૂઆત

  • પાણી પુરવઠા કચેરીમાં બાળકોને કરાવ્યું સ્નાન

  • મહિલા સરપંચે કપડા પણ ધોયા

  • કચેરીમાં જ મહિલા સરપંચના ધરણા  

Advertisment W3.CSS

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના માણેકપુર ગામે પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે,જેના કારણે મહિલા સરપંચ સહિતનો પરિવાર પાણી પુરવઠા વિભાગની કચેરીએ દોડી આવ્યો હતો,અને કચેરીમાં જ બાળકોને સ્નાન કરાવ્યું હતું,અને કપડા ધોઈને ધારણા પર બેઠા હતા.

ઉનાના માણેકપુર ગામે 15 દિવસથી પાણી નહીં આવતા ગામના મહિલા સરપંચ પતિ અને બે બાળકો સહિતનો પરિવાર ઉના પાણી પુરવઠા કચેરી ખાતે દોડી આવ્યો હતો,અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં નિયમિત પણે પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી.

ઉના તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં છેવાડે માણેકપુર ગામ આવેલું છે.આ ગામની કુલ વસ્તી 5500 થી 6000 જેટલી છે.આ ગામમાં છેલ્લા 15 થી 20 દિવસથી પાણી આવતું ન હોય અને સરપંચ પતિ લાખા રાઠોડ દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારી વિશાલ ભાટાને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં આ ગામમાં પાણીની સમસ્યાનું નિરાકરણ થયુ નહોતું.

આ માણેકપુર ગામમાં પાણીના બે જેટલા સંપ આવેલા છે,પરંતુ અહીંયા સુધી પાણી નહીં પહોંચતા બંને પાણીના સંપ પણ ખાલી છે અને લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. તેમજ પાણી નહીં આવતા મહિલા સરપંચ સહિતનાઓએ પાંચ દિવસથી સ્નાન પણ કર્યું ન હોવાથી સરપંચના બંને પુત્રોને પાણી પુરવઠા વિભાગની કચેરી ખાતે લઇ આવી સ્નાન કરાવ્યું હતું,અને કપડા પણ ધોયા હતા.આ માણેકપુર ગામમાં પીવાનું પાણી અને પશુઓ માટે પણ પાણી નહીં મળતા દૂર દૂર સુધી પાણી ભરવા માટે ભટકવું પડે છે.ત્યારે મહિલા સરપંચ તેમના પતિ સાથે પાણી પુરવઠાની કચેરીમાં જ ધારણા પર બેસીને ગામમાં નિયમિત પાણી મળે તે માટે માંગ કરી રહ્યા છે.