રાજ્યભરની શાળાઓમાં ઓરડાની ઘટ દૂર કરવા ર૧ હજાર નવા વર્ગખંડો બંધાશે: ઋષિકેશ પટેલ
BY Connect Gujarat Desk18 Jan 2023 4:29 PM GMT
X
Connect Gujarat Desk18 Jan 2023 4:29 PM GMT
રાજ્યભરની શાળાઓમાં ઓરડાની ઘટ દૂર કરવા ર૧ હજાર નવા વર્ગખંડો બાંધવા માટેની કાર્યવાહી શરૂ છે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું શાળામાં અભ્યાસ કરતા બાળકોને યોગ્ય ગુણવત્તાલક્ષી માળખાકીય સવલતો પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધીમાં અંદાજે ૧૦ હજાર નવા વર્ગખંડો બાંધવા તથા ૨૧ હજાર વર્ગખંડો રીપેર કરવા માટે વર્ક ઓર્ડર ઇશ્યુ કરવામાં આવ્યો છે અને બાંધકામની કામગીરી પણ હાલ ચાલુ કરી દેવામાં આવી છે. એટલું જ નહિ, વર્ષ ૨૦૨૨ દરમ્યાન નવા ૧૯૬૮ વર્ગખંડોનું બાંધકામ તથા ૩૯૯૦ વર્ગખંડોનું રીપેરીંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
Next Story