Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે કોરોનાના 459 નવા કેસ નોધાયા, 922 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 459 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 922 લોકો કોરોનામાંથી સાજા થયા

રાજ્યમાં આજે કોરોનાના 459 નવા કેસ નોધાયા, 922 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
X

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં આજે સામાન્ય વધારો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 459 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 922 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.77 ટકા નોંધાયો છે. ત્યાં જ આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી જે એક રાહતભર્યા સમાચાર છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10987 પર પહોંચી ગયો છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 161, વડોદરા કોર્પોરેશન 36, સુરત કોર્પોરેશન 31, રાજકોટ કોર્પોરેશન 27, કચ્છ 20, અમરેલી 16, મહેસાણા 16, વડોદરા 15, સુરત 14, મોરબી 13, દેવભૂમિ દ્વારકા 11, વલસાડ 10, ગાંધીનગર કોર્પોરેશન 9, નવસારી 9, રાજકોટ 9, જામનગર કોર્પોરેશન 7, પંચમહાલ 7, પોરબંદર 6, ભરૂચ 5, ભાવનગર કોર્પોરેશન 5, ગાંધીનગર 5, સુરેન્દ્રનગર 4, તાપી 4, અમદાવાદ 3, બનાસકાંઠા 3, પાટણ 3, જામનગર 2, ખેડા 2, સાબરકાંઠા 2, આણંદ 1, અરવલ્લી 1, ભાવનગર 1, ગીર સોમનાથ 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 4534 એક્ટીવ કેસ છે જે પૈકી 18 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 4516 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,48,768 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10987 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,00,592 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,95,87,356 લોકોનું રસીકરણ થયું છે.

Next Story